પોરબંદર નગરપાલિકાનું તંત્ર મૃત પશુપંખીઓના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવા ઉઠી માંગ

  • September 26, 2024 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના છાંયાચોકી નજીક રહેતા અને શહેરની ગોઢાણીયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ધો-૯ માં અભ્યાસ કરતા હેત પોપટ પ્રાણીપ્રેમી અને પક્ષીપ્રેમી છે,માત્ર આજુબાજુના વિસ્તારના પ્રાણીઓની જ નહી અન્ય વિસ્તારોમાં જઈને પણ પશુ-પક્ષીઓની સેવા કરે છે. તેની પાસે એરપોર્ટ વિસ્તારમાંથી  ઇજાગ્રસ્ત એક પક્ષીનું માં વિહોણું બચ્ચું આવતા પોતાના ઘરે તેને સાચવ્યું હતુ અને ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ડો.નેહલબેન કારાવદરાના માર્ગદર્શન હેઠળ તેનો ઉછેર કર્યો હતો.પરંતુ થોડા દિવસો બાદ મા વિહોણું આ બચ્ચું મૃત્યુ પામતા તેના મૃતદેહને જ્યાં ત્યાં ફેંકી દેવાને બદલે તેને સ્નાન કરાવીને મેદાનમાં ખાડો ખોદીને વ્યવસ્થિત રીતે દાટી દીધું હતું કે જેથી રોગચાળો ફેલાઈ નહી તથા તેના મૃતદેહનો મલાજો જળવાઈ રહે તે માટેની કાર્યવાહી કરી હતી.જુનાગઢ અને જામનગર મહાનગરપાલિકાની હદમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં મૃત્યુ પામતા પ્રાણીઓના મૃતદેહના નિકાલ માટેની અલગ વ્યવસ્થા ગોઠવાઈ છે અને તેના કારણે શહેરીજનોને જુદા-જુદા વિસ્તારોમાંથી મળી આવતા પ્રાણીઓના કોહવાયેલા મૃતદેહને લીધે મુશ્કેલીમાં મુકાવવું પડતું નથી. પોરબંદરના હેત પોપટે પણ પોરબંદર નગરપાલિકાના તંત્રને પ્રેરણા આપી છે કે પ્રાણીઓના મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ થાય તે જ‚રી બન્યું છે,ત્યારે શું નગરપાલિકાનું તંત્ર આ મુદ્દે યોગ્ય કરશે? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application