પોરબંદરના છાંયાચોકી નજીક રહેતા અને શહેરની ગોઢાણીયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ધો-૯ માં અભ્યાસ કરતા હેત પોપટ પ્રાણીપ્રેમી અને પક્ષીપ્રેમી છે,માત્ર આજુબાજુના વિસ્તારના પ્રાણીઓની જ નહી અન્ય વિસ્તારોમાં જઈને પણ પશુ-પક્ષીઓની સેવા કરે છે. તેની પાસે એરપોર્ટ વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત એક પક્ષીનું માં વિહોણું બચ્ચું આવતા પોતાના ઘરે તેને સાચવ્યું હતુ અને ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ડો.નેહલબેન કારાવદરાના માર્ગદર્શન હેઠળ તેનો ઉછેર કર્યો હતો.પરંતુ થોડા દિવસો બાદ મા વિહોણું આ બચ્ચું મૃત્યુ પામતા તેના મૃતદેહને જ્યાં ત્યાં ફેંકી દેવાને બદલે તેને સ્નાન કરાવીને મેદાનમાં ખાડો ખોદીને વ્યવસ્થિત રીતે દાટી દીધું હતું કે જેથી રોગચાળો ફેલાઈ નહી તથા તેના મૃતદેહનો મલાજો જળવાઈ રહે તે માટેની કાર્યવાહી કરી હતી.જુનાગઢ અને જામનગર મહાનગરપાલિકાની હદમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં મૃત્યુ પામતા પ્રાણીઓના મૃતદેહના નિકાલ માટેની અલગ વ્યવસ્થા ગોઠવાઈ છે અને તેના કારણે શહેરીજનોને જુદા-જુદા વિસ્તારોમાંથી મળી આવતા પ્રાણીઓના કોહવાયેલા મૃતદેહને લીધે મુશ્કેલીમાં મુકાવવું પડતું નથી. પોરબંદરના હેત પોપટે પણ પોરબંદર નગરપાલિકાના તંત્રને પ્રેરણા આપી છે કે પ્રાણીઓના મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ થાય તે જરી બન્યું છે,ત્યારે શું નગરપાલિકાનું તંત્ર આ મુદ્દે યોગ્ય કરશે? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાખરમાં નવરાત્રીની પ્રથમ રાત્રે ભાભીની હત્યા નિપજાવનાર આરોપી દિયર ઝડપાયો
October 05, 2024 12:49 PMતિહારમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા યાસીન મલિકનું સોગંદનામું, કહ્યું-“હવે હું ગાંધીવાદી છું”
October 05, 2024 12:20 PMશું ગધેડો બિગ બોસ શોનો બનશે ભાગ? જાણો શું છે મામલો
October 05, 2024 12:16 PMઆમિર ખાન પ્રોડક્શનની લાપતા લેડીઝ જાપાનમાં રિલીઝ
October 05, 2024 12:16 PMહું તો મીરાનો બીજો પતિ છું: શાહિદ કપૂર
October 05, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech