મહારાષ્ટ્ર્રના નાગપુરમાં રવિવારે (પહેલી નવેમ્બર) એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 'જીવન એ સમાધાન, જવાબદારી, મર્યાદાઓ અને વિરોધાભાસની રમત છે. યારે રાજકારણ એ 'અસંતુષ્ટ્ર આત્માઓનો મહાસાગર' છે, યાં દરેક વ્યકિત નાખુશ હોય છે અને તેના વર્તમાન પદ કરતાં ઐંચા પદની ઈચ્છા રાખે છે.' કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે યારે મહારાષ્ટ્ર્રમાં મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા ચાલી રહી છે.
મહારાષ્ટ્ર્ર વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત હોવા છતાં, મહાયુતિ હજુ પણ મુખ્યમંત્રીની પસંદગી કરી શકી નથી. એવા અહેવાલો છે કે ભાજપ મુખ્યમંત્રી પદ જાળવી રાખશે. આ દરમિયાન અન્ય બે પક્ષો, એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને રાષ્ટ્ર્રવાદી કોંગ્રેસ પાર્ટીને ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે. હાલમાં આ અંગે સત્તાવાર રીતે કઈં કહેવામાં આવ્યું નથી.
ભાજપનાના વરિ નેતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 'વ્યકિત પારિવારિક, સામાજિક, રાજકીય કે વ્યાવસાયિક જીવનમાં હોય, જીવન પડકારો અને સમસ્યાઓથી ભરેલું હોય છે અને તેનો સામનો કરવા માટે વ્યકિતએ 'જીવવાની કળા' સમજવી જોઈએ.
રાજસ્થાનમાં આયોજિત એક કાર્યક્રમને યાદ કરતાં મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 'રાજકારણ એ અસંતુષ્ટ્ર આત્માઓનો મહાસાગર છે, યાં દરેક વ્યકિત દુ:ખી છે... જે કાઉન્સિલર બને છે તે નાખુશ છે કારણ કે તેને ધારાસભ્ય બનવાની તક નથી મળી અને ધારાસભ્ય નાખુશ છે કારણ કે તેને મંત્રી પદ ન મળી શકયું. જે મંત્રી બને છે તે નાખુશ રહે છે કારણ કે તેને સાં મંત્રાલય નથી મળ્યું અને તે મુખ્યમંત્રી બની શકયો નથી અને મુખ્યમંત્રી તણાવમાં રહે છે કારણ કે તેમને ખબર નથી કે હાઈકમાન્ડ કયારે તેમને પદ છોડવાનું કહેશે.' તેમણે જણાવ્યું હતું કે, 'જીવનમાં સમસ્યાઓ મોટા પડકારો રજૂ કરે છે અને તેનો સામનો કરીને આગળ વધવું એ જીવન જીવવાની કળા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech