સંબંધ દાવે ૩ લાખ લીધા પછી ૫૦ હજાર ચૂકવી અઢી લાખનો ખોટી સહીવાળા ચેક પધરાવી દઈ છેતરપિંડી આચરી
જામનગર માં નીલકમલ સોસાયટીમાં રહેતા એક વેપારી સાથે સંબંધ દાવે રૂપિયા ૩ લાખ લીધા પછી માત્ર ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવી અઢી લાખ રૂપિયાનો ખોટી સહી વાળો ચેક પધરાવી દઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા વિશાલભાઈ વિનોદરાય ખખ્ખર નામના વેપારી પાસેથી તેના પાડોશમાજ રહેતા મુકેશ રામભાઈ રાઠોડ નામના શખ્સે ત્રણ લાખ રૂપિયા લીધા હતા, અને તેની પરત ચુકવણીના ભાગરૂપે ૫૦ હજાર રૂપિયા રોકડા પરત આપ્યા હતા, જ્યારે બાકીની અઢી લાખની રકમનો ચેક લખી આપ્યો હતો.
જે ચેક અંગેની ખરાઈ કરતાં ઉપરોક્ત ચેક ખોટી સહી વાળો હોવાથી બેંકમાંથી પાછો ફર્યો હતો. જેથી વેપારીએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવી જામનગરના સીટી સી. ડિવિઝન નો સંપર્ક સાધ્યો હતો, અને મુકેશ રાઠોડ સામે રૂપિયા અઢી લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ ક્લબો રાજપથ અને કર્ણાવતીને સભ્યોને સર્વિસ ટેક્સ રિફંડ પરત કરવા આદેશ
April 19, 2025 02:46 PMગુજરાતમાં ૪૦ વર્ષથી વધુ ઉંમરના ૪૦ ટકા લોકોના લીવર ચરબીયુક્ત
April 19, 2025 02:44 PMબોગસ ઇનપુટ કેશ ક્રેડિટ કૌભાંડમાં બનાવટી ખાતા ખોલનાર બેંક કર્મીના જામીન મંજૂર
April 19, 2025 02:42 PMજુઓ પોરબંદરમાં ત્રણ ઘેટાને કઈ રીતે મળ્યું નવું જીવન
April 19, 2025 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech