પોરબંદરમાં પોલીસે વાહનોની હરાજી કરતા એક લાખ બાવીસ હજાર ઉપજ્યા

  • August 24, 2024 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં જુદા-જુદા ગુન્હાઓ અનુસંધાને પકડાયેલા વાહનો લઈ જવામાં તેના માલિકોએ બેદરકારી દાખવતા આ પ્રકારના ૨૧ જેટલા મોટરસાયકલની પોલીસે હરરાજી કરી હતી, જેના એક લાખ બાવીસ હજાર રૂપીયા હતા. જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાં મુદામાલ નિકાલ કરવા અંગેની ખાસ સુચના આપેલ. જે અંગે પોરબંદર શહેર વિભાગના એ.એસ.પી. સાહિત્યા વી.ના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબ કબ્જે કરવામાં આવેલ કુલ-૨૧ મોટર સાઈકલનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવ્યુ છે.જે હરાજીમાં ભંગાર અને સ્ક્રેપના કુલ-૩૧ વેપારીઓએ ભાગ લીધો હતો. આ જાહેર હરાજીમાં ‚.૧,૨૨,૦૦૦ ની રકમ પ્રાપ્ત થયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application