BCCI એ આજે એટલે કે 30મી એપ્રિલે T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, BCCIએ લાંબી બેઠક બાદ ટીમ ઈન્ડિયાની ટીમની સત્તાવાર જાહેરાત કરી છે. આ ટીમમાં રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી હાર્દિક પંડ્યાને આપવામાં આવી છે. પરંતુ શું તમે જાણો છો કે T20 વર્લ્ડ કપમાં રમનારા ખેલાડીઓને કેટલી ફી મળે છે? આજે અમે તમને તેના વિશે જણાવીશું.
ટીમમાં કોણ-કોણ?
રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી હાર્દિક પંડ્યાને આપવામાં આવી છે. આ સિવાય ટીમમાં બેટ્સમેન વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને રિષભ પંતને સ્થાન મળ્યું છે. આ સિવાય ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા, સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજને પણ સ્થાન મળ્યું છે.
ફી કેટલી હોય છે?
સવાલ એ છે કે ખેલાડીઓને કેટલી ફી મળે છે? મળતી માહિતી મુજબ હાલમાં ખેલાડીઓને ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા મળે છે. જ્યારે ખેલાડીઓને ODI માટે 6 લાખ રૂપિયા અને T-20 મેચ માટે 3 લાખ રૂપિયા મળે છે.
ગ્રેડ મુજબ નક્કી હોય છે રકમ
તમને જણાવી દઈએ કે ક્રિકેટ ખેલાડીઓને મળેલી રકમ તેમના ગ્રેડના આધારે નક્કી કરવામાં આવે છે. BCCI હવે તેના ખેલાડીઓને વાર્ષિક કોન્ટ્રાક્ટ ઓફર કરે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વની સૌથી ધનિક રમત સંસ્થાઓમાંની એક છે. 4 ગ્રેડ હોય છે, જેમાં A+, A, B અને C કોન્ટ્રાક્ટ ઓફર કરે છે. સૌથી ઓછી વાર્ષિક ફી (ગ્રેડ સી) રૂ. 1 કરોડ છે. આ ઉપરાંત, A+માં રૂ. 5 કરોડ, Bમાં રૂ. 3 કરોડ મળે છે.
ખેલાડીઓને મળે છે ભથ્થું
તમને જણાવી દઈએ કે મેચો સિવાય BCCI પોતાના ખેલાડીઓને અન્ય ભથ્થા પણ આપે છે. ઉદાહરણ તરીકે, જ્યારે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવા જાય છે, ત્યારે તેમને મેચ ફી ઉપરાંત ભથ્થાં પણ મળે છે. આ સિવાય મેચ દરમિયાન ખેલાડીઓને આપવામાં આવતી તમામ સુવિધાઓનો ખર્ચ BCCI પોતે ઉઠાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech