ફ્રાન્સથી ભારતીયોને લઈને પ્લેન ઊડ્યું, કેટલાક મુસાફરો ભારત પાછા ફરવા માંગતા ન હતા

  • December 25, 2023 11:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેરિસ નજીકના એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકાથી ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા મુસાફરોને લઈને રોમાનિયન કંપની લિજેન્ડ એરલાઈન્સનું એક વિમાન ભારત માટે રવાના થયું છે. પ્લેન મંગળવારે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થવાની ધારણા છે. અગાઉના પ્લાન મુજબ પ્લેન બપોરે 2.20 વાગ્યે મુંબઈમાં ઉતરવાનું હતું. જ્યારે પ્લેનને રોકવામાં આવ્યું ત્યારે તેમાં 303 મુસાફરો સવાર હતા.


પેરિસ નજીકના એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકાથી ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા મુસાફરોને લઈને રોમાનિયન કંપની લિજેન્ડ એરલાઈન્સનું એક વિમાન ભારત માટે રવાના થયું છે. પ્લેન મંગળવારે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થવાની ધારણા છે. અગાઉના પ્લાન મુજબ પ્લેન બપોરે 2.20 વાગ્યે મુંબઈમાં ઉતરવાનું હતું.


જ્યારે પ્લેન રોકાયું ત્યારે તેમાં 303 મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગના ભારતીયો છે. દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઈટને પેરિસથી 150 કિમી પૂર્વમાં આવેલા વેટ્રી એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી. અગાઉ પ્લેનને ટેકઓફ કરવામાં વિલંબ થયો હતો કારણ કે કેટલાક મુસાફરો તેમના વતન પરત જવા માંગતા ન હતા.


છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ હતી મૂંઝવણભરી

લિજેન્ડ એરલાઈન્સના વકીલ લિલિયાના બકાયોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી પરિસ્થિતિ મૂંઝવણભરી હતી. તેણે BFM ટીવીને જણાવ્યું કે કેટલાક મુસાફરો તેમના મૂળ દેશોમાં પાછા ફરવા માંગતા ન હતા અને પ્લેનમાં બેસવાનો ઇનકાર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application