જામનગરના દરેડ ખાતે આજથી શરુ થયેલા ટેક-ફેસ્ટમાં ઔદ્યોગિક એકમો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઔદ્યોગિક જગતના નવા નવા આયમનું નિદર્શન ખુલ્લું મુકાયું છે, ૫-નવતનપુરી ધામ, ખીજડા મંદિર, કૃષ્ણપ્રણામી સંપ્રદાય, જગતગુ ૧૦૮ પ.પૂ. શ્રી કૃષ્ણમણીજી મહારાજના આર્શિવચન સાથે ગુજરાત રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમના હસ્તે ઉદ્દઘાટન થયું હતું, આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટે. કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, નગરસેવકો ગોપાલ સોરઠીયા, પાર્થ કોટડીયા સહીતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ટેક-ફેસ્ટમાં ખાસ કરીને જાણીતા ઔદ્યોગિક એકમ પિયુષ એન્જીનીયરીંગ દ્વારા પોતાની એન્જીનીયરીંગ કળાથી બનાવવામાં આવેલા ઉપયોગી મશીનોનું નિદર્શન રાખવામાં આવ્યું છે, જેમાં એકસટ્ુઝન પ્લાન્ટ માટે વાયર પોઇન્ટીંગ મશીન, વાયર રોલીંગ મશીન, કેબલ કટીંગ મશીન સહિતના વિવિધ મશીનોનું નિદર્શન રાખવામાં આવ્યું છે અને આ જ રીતે એચ.કે. એન્જીનીયરીંગ દ્વારા પણ ટેક-ફેસ્ટમાં પોતાની એન્જીનીયરીંગની કળા દર્શાવતા મશીનો દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં વાયર રોલીંગ મશીન, વાયર પોઇન્ટીંગ મશીન, ડબલ દટ્ટીલાગ, રોલ સહિતના મશીનોનો સમાવેશ કરવામાં આવે છે. મીડીયમથી લઇને હેવી સાઇઝમાં આ મશીન દ્વારા મેન્યુફેકચરીંગ થઇ શકે છે. ટેક-ફેસ્ટમાં ઓકસન એર્ન્જી દ્વારા પણ ખાસ કરીને સોલાર પેનલના નિદર્શન રાખવામાં આવ્યા છે, આ કંપની દ્વારા વિજ ઉત્પાદન માટેના ખૂબ જ ઉપયોગી એવા સોલાર પેનલો લોકોને દેખાડવામાં આવી રહી છે, જેનાથી આ ટેક-ફેસ્ટ લોકો માટે ઉપયોગી સાબિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMસંઘર્ષ યુક્રેનનો હોય કે પશ્ચિમ એશિયાનો, તેની અસર થાય છે: જયશંકરે વ્યક્ત કરી ચિંતા
October 05, 2024 05:15 PMવંદે ભારત પર શા માટે થયો પથ્થરમારો? તપાસમાં મોટો ખુલાસો
October 05, 2024 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech