અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી કોર્ટમાં સ્વીકારવામાં આવ્યા બાદ વિવાદ સર્જાયો છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આ વિવાદ પર પોતાના વિચારો વ્યકત કરતા સમાજવાદી પાર્ટીના રાયસભા સાંસદ રામ ગોપાલ યાદવે જજોને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. યાદવે કહ્યું કે નાના જજ દેશને આગ લગાડવા માંગે છે. તાજેતરમાં, તેમણે નિવૃત્ત ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ વિશે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને બાદમાં યુ–ટર્ન લીધો હતો.
અજમેર શરીફ મુદ્દે સપાના નેતા રામ ગોપાલ યાદવે કહ્યું, મેં આ પહેલા પણ કહ્યું હતું, આવા નાના જજ બેઠા છે જે આ દેશને આગ લગાડવા માંગે છે. તેનો કોઈ અર્થ નથી. આપણા વડાપ્રધાન પોતે અજમેર શરીફમાં ચાદર મોકલે છે. ત્યાં દેશ અને દુનિયામાંથી લોકો આવે છે. આ મુદ્દાને વિવાદોમાં સંડોવવો એ ખૂબ જ ઘૃણાજનક અને ક્ષુદ્ર માનસિકતાની નિશાની છે. ભાજપને ટેકો આપનારા લોકો સત્તામાં રહેવા માટે કઈં પણ કરી શકે છે, દેશમાં આગ લાગે તો તેમને કોઈ વાંધો નથી. માત્ર સત્તામાં રહો. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે નસીદ્દીન ચિશ્તીએ કહ્યું છે કે તેમને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા નથી.
રાજસ્થાનના અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો સ્થાનિક કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે બુધવારે સુનાવણી માટે અરજી સ્વીકારી હતી અને ત્રણેય પક્ષકારોને નોટિસ પાઠવી હતી. વાદી વિષ્ણુ ગુાના વકીલ યોગેશ સિરોજાએ અજમેરમાં જણાવ્યું કે આ કેસની સુનાવણી સિવિલ કેસના જજ મનમોહન ચંદેલની કોર્ટમાં થઈ હતી. સિરોજાએ કહ્યું, દરગાહમાં શિવ મંદિર હોવાનું કહેવાય છે. અગાઉ પૂજા પાઠ થતા હતા. સપ્ટેમ્બર ૨૦૨૪માં પૂજા પાઠ ફરી શ કરવા માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે દાવો સ્વીકારીને નોટિસ જારી કરી છે. તેમણે કહ્યું કે આ સંબંધમાં અજમેર દરગાહ સમિતિ, લઘુમતી મંત્રાલય, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કાર્યાલય–નવી દિલ્હીને સમન્સ જારી કરવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech