રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અિકાંડમાં થયેલા ૨૮થી વધુના મોતના મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજીની આજે સવારે સુનાવણી હાથ પર લેવાઈ હતી. અિકાંડ બાબતે હાઈકોર્ટ પણ સરકાર પર ખફા બની હતી. એવું જણાવાયું હતું કે, જે લોકો મર્યા તે હત્યાથી ઓછું નથી, અમને તત્રં પર હવે જરાઈ ભરોસો નથી. અઢી વર્ષથી આ બધું ચાલતું હતું શું બધા ઉંઘતા હતા ? સહિતના આકરા સવાલો સાથે ઝાટકણી કાઢી હતી અને સરકાર પક્ષે હાજર રહેલા વકીલ અધિકારીઓ પાસે જવાબ માગ્યા હતા.
ગત શનિવારે રાજકોટના ગેમઝોન અિકાંડ મામલે તાત્કાલીક ધોરણે હાઈકોર્ટે સુઓમોટો અરજી સ્વીકારી હતી અને અર્જન્ટ કાર્યવાહી હાથ પર લેવાઈ હતી. સરકારને નોટીસ આપવામાં આવી હતી. આજે આ સુનાવણી હાથ પર લેવાઈ હતી જેમાં સરકાર પક્ષે એડવોકેટ જનરલ તેમજ રાજકોટ મહાપાલિકાના એડવોકેટ સહિતના હાજર રહ્યા હતા. ઉઘડતી કોર્ટે જ ચાલુ થયેલી કાર્યવાહીમાં અરજદારે જીડીસીઆરનું પાલન થતું ન હોવાની જરૂરી સલામતી કે વ્યવસ્થા અને સરકારી વિભાગોની મંજુરી કે લાઈસન્સ ન હતા છતાં આ ગેમઝોન કાર્યરત હતો તે સહિતના અરજીમાં સરકાર અને તત્રં સામે સવાલો મુકયા હતા. અરજી સંદર્ભે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કેટલાક એવા ઉચ્ચારણો અને સરકાર સામે પ્રશ્નો વ્યકત થયા હતા કે આ ઘટના માટે જવાબદાર કોણ ? કોઈપણ તત્રં પર જરાઈ ભરોસો કરવા જેવું રહ્યું નથી. શું અઢી વર્ષથી જવાબદારો ઉંઘતા જ હતા ? એવું સમજીએ કે, આખં આડા કાન કર્યા હતા. જે લોકો મર્યા છે તે હત્યાથી ઓછું નથી.સરકાર પક્ષે એડવોકેટ જનરલે બચાવ રજુ કર્યેા હતો. જયારે રાજકોટ મહાપાલિકા તરફથી હાજર રહેલા વકીલે રાજકોટ મહાપાલિકાની તરફેણમાં બચાવ મુદ્દામાં એવી વાત કહી હતી કે, અમારી પાસે મંજુરી લેવાઈ ન હતી. સરકારના ઢીલા વલણ સામે હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech