જર્જરીત ઇમારતમાં રહેવા માટે લોકો પણ જવાબદાર તો છે જ

  • June 24, 2023 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંતિમ શ્ર્વાસ.....
લોકોના રુવાળા ઉભા કરી દેતી સાધના કોલોનીની દુર્ઘટનામાં કાટમાળ હેઠળ દબાઈને અંતિમ શ્ર્વાસ લેનારા ત્રણ કમભાગીઓના મૃતદેહ આજે જ્યારે ઘરે લાવવામાં આવ્યા અને સામૂહિક અંતિમ સંસ્કાર માટે અંતિમ યાત્રા કાઢવામાં આવી ત્યારે આખું સાધના કોલોની હિબકે ચડ્યું હતું. નિષ્પ્રાણ બનેલા આ ત્રણ દેહ ગઈકાલ સવાર સુધી જીવિત હતાં, પરંતુ આજનો સૂરજ જોઈ શક્યા નથી. એક તો માત્ર ચાર વર્ષનું માસૂમ બાળક છે! આ ત્રણ મૃતદેહ પોકારી-પોકારીને જાણ કહી રહ્યાં છે કે, દુર્ઘટનાના જવાબદારોને છોડતાં નહીં....

**
જામનગરની સાધનાકોલોનીમાં ત્રણ માળની ઇમારત જમીનદોસ્ત થયાની ગોઝારી ઘટનાને તમામ એંગલથી જોવામાં આવી રહી છે ત્યારે એક સવાલ એ પણ ઉઠે છે કે ઇમારતો અત્યંત જર્જરીત થઇ જવા છતાં અને અનેક પોપડા પડતા હોવા છતાં પાયામાં તીરાડો પડી ગઇ હોવા છતાં ઇમારત ગમે ત્યારે પડી જશે એવી ભિતી હોવા છતાં તેમાં રહેતા લોકો પણ કયાંકને કયાંક જવાબદાર તો છે જ.
મહાનગરપાલિકા દ્વારા અનેક નોટીસ આપવા છતાં તેને ઘોળીને પી ગયા અને દુર્ઘટના બનવા સુધી મકાન ખાલી કર્યા નહીં એટલે તેમાં વસવાટ કરતા લોકો પણ વધુ નહીં તો થોડા તો જવાબદાર છે જ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application