પોરબંદરમાં તમામ તેર વોર્ડમાં ગંદકી કરનારાઓ સામે થશે દંડની કાર્યવાહી

  • September 23, 2024 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં જાહેરમાં કચરો ફેંકીને શહેરને ગંદુ બનાવવામાં આવી રહ્યુ છે ત્યારે તમામ તેર વોર્ડમાં ગંદકી કરનારાઓ સામે દંડની કાર્યવાહી થશે તેમ જણાવાયુ છે.
પોરબંદર-છાયા નગરપાલિકાની સેનીટેશન કમીટીના ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટીએ જણાવ્યુ છે કે પોરબંદર છાયા નગરપાલિકાના ૧ થી ૧૩ વોર્ડમાં આવતી તમામ દુકાનો, ઓફિસો, શાળાઓ,  રેસ્ટોરન્ટ, હોટલો, લારી  ગલ્લાઓને જાણ કરવામા આવે છે કે તમારા કામના સ્થળોએ ફરજિયાત કચરાપેટી રાખવા તથા આપની કામની જગ્યાની બહાર કચરો ફેકવો નહીં અન્યથા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જેની સર્વે જનતાને જાણ કરવામાં આવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application