ખંભાળિયાના બારા ગામેથી સતત 22 વર્ષથી માતાના મઢે પગપાળા જતા પદયાત્રીઓ

  • September 26, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગેવાનો દ્વારા ભાવભરી રીતે પ્રસ્થાન કરાવાયું


ખંભાળિયા તાલુકાના બારા ગામના યુવાનો સતત 22 વરસથી બારાથી કચ્છ ખાતે બિરાજતા માતાના મઢે ચાલીને જાય છે. જેની શરૂઆત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. જે સંઘમાં યુવાનો 23 માં વર્ષે પણ બારાથી આશાપુરા માતાજીના માતાના મઢે પગપાળા જવા રવાના થતા આ પ્રસંગે રાજપુત સમાજના પ્રમુખ ચંદ્રસિંહ જાડેજા તેમજ આગેવાનો દ્વારા આ સંઘના યુવાનોને ફૂલહાર પહેરાવીને સન્માનિત કરી, વિદાઈ આપી હતી.


આ યુવાનો પહેલા નોરતાના દિવસે આશાપુરા માતાના મઢ ખાતે માતાજીના દર્શન કરશે. આ સંઘમાં જતા દેવેન્દ્રસિંહ વાઢેર તેમની સાથે 11 કિલો સાકરની લઈને માતાના મઢે પગપાળા જાય છે અને ત્યાં માતાજીને આ સાકર અર્પણ કરે છે. માતાજીના જય ઘોષ સાથે પગપાળા જવા રવાના થતા આ સંઘને ભાવભરી રીતે પ્રસ્થાન કરાવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application