જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં હોળી-ધુળેટી તેમજ રમજાન ના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

  • March 23, 2024 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં હોળી-ધુળેટી ના તહેવારો તેમજ રમજાન માસના પર્વને અનુલક્ષીને તમામ તહેવારો શાંતિ રીતે ઉજવાય તેના અનુસંધાને જામનગર શહેરના હિન્દુ-મુસ્લિમ આગેવાનો ની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
આગામી તારીખ ૨૪.૩.૨૦૨૪ ના રોજ હોળી ધુળેટી નો તહેવાર હોય, તેમજ મુસ્લિમ સમાજ નો રમજાન માસ ચાલતો હોય જેથી શહેર માં શાંતિ અને ભાઈચારો જળવાઇ રહે, અને કોઈ અન્છિનીય બનાવ ન બને, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે, તે અંગે સીટી એ. પોસ્ટે. ના પી.આઇ. શ્રી એન. એ. ચાવડા  ના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો ની શાંતિ સમિતિની મીટીંગ મળી હતી. જેમાં પીએસઆઈ એમ એન રાઠોડ, તથા ડી જી રામાનુજ પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application