પઠાણી વ્યાજ વસૂલ કરી, આરંભડાના ટ્રાન્સપોર્ટરને મારી નાખવાની ધમકી

  • July 09, 2024 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બે શખ્સો સામે ફરિયાદ



ઓખા મંડળના એક ટ્રાન્સપોર્ટર દ્વારા જામનગરના શખ્સ પાસેથી લેવામાં આવેલી ઉછીની રકમનું તોતિંગ વ્યાજ વસૂલ કરવા ચેક મેળવી, જાનથી મારી નાખવાની ઘમકી આપવા સબબ જામનગરના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


આ પ્રકરણ અંગે મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ધીરજલાલ પ્રભુદાસ ભાયાણી નામના 64 વર્ષના લોહાણા વૃદ્ધએ જામનગરમાં રહેતાં યાકુબ માકોડા અને મહંમદ સફી સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે તેમણે આરોપી યાકુબ માકોડા પાસેથી રૂપિયા ત્રણ લાખ રોકડા ઉછીના લીધા હતા.


આ રકમ પરત મેળવવા માટે આરોપીએ ફરિયાદી ધીરુભાઈ પાસેથી બે કોરા ચેક તથા રૂપિયા 20 લાખની કિંમતનો લેલેન્ડ ટ્રક બળજબરીથી કઢાવી લઈ, રૂપિયા ત્રણ લાખની મુદ્દલનું પાંચ ટકા લેખે વ્યાજ વસૂલ કરવાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આમ, આરોપી શખ્સો દ્વારા ફરિયાદી ધીરજલાલ ભાયાણીને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે.


આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી. ટી. વાણીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application