કાઠીયાવાડમાં મહેમાનોને ભગવાનનું સ્વપ ગણવામાં આવે છે પરંતુ મહેમાન સ્વપ મુસાફરોને અણધડ આયોજન અને બેદરકારીના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેવો જ અનુભવ વીમાની મુસાફરોને થયો હતો. પ્લેનમાં મુસાફરી કરતા યાત્રિકોને પ્લેન ખોટકાય ત્યારે ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. સરકાર દ્રારા કેશોદથી મુંબઈ વિમાની સેવા શ તો કરી પરંતુ અવારનવાર લાઈટ કેન્સલ કે એરલાઇન્સનું વિમાન ખોટકાઈ જવાના બનાવ થી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે બપોરે એલાયન્સ એર નું વિમાન ખોટકાતાઉડાન ભરી શકયું ન હતું જેથી કેશોદ થી મુંબઈ જતા પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બપોરે દોઢ વાગ્યા ની લાઈટ સાડા ચાર વાગ્યા સુધી ઉડી શકી ન હતી ટેકનિકલ ખામીને દૂર કરવા રાજકોટ થી ખાસ ટેકનીશીનોને પણ બોલાવવામાં આવ્યા હતા તેમ છતાં રાત્રિના નવ વાગ્યા સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી . તો બીજી તરફ મુસાફરોને પણ કોઈપણ જાતની ભોજન કે રહેવાની સુવિધા મળી ન હતી જેથી એરલાઇન્સ કંપની ની સર્વિસ સામે મુસાફરો માં નારાજગી થઈ હતી અને એરપોર્ટ ખાતે જ હોબાળો મચાવ્યો હતો.૨૫ જેટલા મુસાફરો બપોરના એક વાગ્યાથી એરપોર્ટના લોર પર બેસીને સમય પસાર થઈ રહ્યા હતા છતાં પણ કોઈ પણ અધિકારીએ પ્લેનમાં મુસાફરી કરનાર મુસાફરો સાથે સહાનુભૂતિ દર્શાવી ન હતી કયા કારણોસર વિમાન ખોટકાયું અને કયારે વિમાન ઉડાન કરશે તેની માહિતી પણ પહોંચાડી ન હતી જેથી બેદરકારીના કારણે પ્રવાસીઓને હાલાકી થઈ હતી.
અત્રે ઉલ્લ ેખનીય છે કે ચાર દિવસ પૂર્વે પણ અમદાવાદથી જતી લાઈટ ખોટકાઈ હતી જેને અમદાવાદથી ટેકનિશિયનો એ આવીને ખામી દૂર કરી હતી અને પાંચથી છ કલાક મોડું કેશોદ થી વિમાન ઉડું હતું. મુસાફરોના જણાવ્યા મુજબ એરપોર્ટ ખાતે કોઈ વ્યવસ્થા હોતી નથી અને એરપોર્ટ ઓથોરિટી દ્રારા ખૂબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે બહારથી આવતા મુસાફરોની લાઈટ કેન્સલ થાય ત્યારે સુવિધા અને વિગતો આપવામાં પણ એરપોર્ટ ઓથોરિટી ઉતરી હતી જેથી મુસાફરો એ સમગ્ર મામલે ભારતીય વિમાની ઓથોરિટી આકરા પગલા ભરે તેવી પણ માંગ કરી હતી
એક માસ પૂર્વે લાઇટ રદ થતાં મુંબઇનું દંપતી રઝળ્યું હતું
કેશોદ એરપોર્ટ ખાતે અવારનવાર મુસાફરોને હાલાકી થઈ રહી છે. એલાયન્સ એરનું વિમાન અવારનવાર રદ થતાં મુસાફરોને દોડધામ થાય છે.અગાઉ મુંબઈના દંપતિને પણ મુંબઈથી અવરજવર માટે મુશ્કેલી થઈ હતી મુંબઈથી લાઇટ કેન્સલ થયા બાદ બીજા દિવસે મળી હતી ત્યારબાદ કેશોદથી મુંબઈ જવા માટે જુનાગઢથી કેશોદ પહોંચ્યા ત્યારે સવારે લાઇટ રાબેતા મુજબ ચાલશે તેમ જણાવ્યું હતું પરંતુ બપોરે પહોંચ્યા ત્યારે વિમાની લાઈટ કેન્સલ થયું છે તેમ જણાવ્યું હતું જેથી દંપતીને અવરજવર માટે પણ મુશ્કેલી થઈ હતી દંપતીના જણાવ્યા મુજબ જુનાગઢ કે કેશોદમાં સગા હતા તે વાંધો ન હતો બાકી તો બહારથી આવતા હોય તો વધારાનો ખર્ચ એરપોર્ટ ઓથોરિટીના વાંકે ભોગવવો પડે જેથી અવારનવાર એરલાઇન્સ નું વિમાન રદ થઈ રહ્યું છે જેની સામે કડક કાર્યવાહી કરવા પણ માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયો
March 10, 2025 01:29 PMજામનગર : હવાઈ ચોકમા આતિશબાજી વખતે એપાર્ટમેન્ટમાં ઉપરના ભાગે આગનુ છમકલુ
March 10, 2025 01:23 PMજામનગર : ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની જીતની શાનદાર ઉજવણી
March 10, 2025 01:09 PMહોળી પર ઘરે જ બનાવો ઠંડાઈવાલી રસમલાઈ, મહેમાનો પણ બોલી ઉઠશે વાહ-વાહ
March 10, 2025 01:06 PMદ્વારકા-જામનગરમાં પદયાત્રીઓના સેવા કેમ્પોની મુલાકાત લેતા મુળુભાઇ બેરા
March 10, 2025 01:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech