જામનગરમાં ગરમીમાં આંશીક ઘટાડો: તાપમાન 36.6 ડીગ્રી

  • June 06, 2024 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. 9 અને 10 દરમ્યાન ઝાપટા પડે તેવી હવામાન ખાતાની આગાહી


જામનગર સહિત સમગ્ર હાલારમાં સૂર્યદેવતા કોપાયમાન થઇ ગયા છે, જેમાં ગઇકાલે ગરમીમાં આંશીક ઘટાડો થયો છે, જામનગરનું મોટાભાગે તાપમાન 36 થી 40 ડીગ્રી વચ્ચે રહ્યા કરે છે, સમી સાંજે પવન પણ ફુંકાય છે એટલે બીજા શહેરો કરતા ઓછી ગરમી પડે છે, ગઇકાલે સાંજે 45 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો જેથી લોકોને ગરમીથી રાહત મળી હતી. આજે પણ સવારે થોડી ગરમી જોવા મળી હતી.


જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, કલ્યાણપુર, જામજોધપુર, ખંભાળીયા, દ્વારકા, સલાયા, ફલ્લા ગામમાં પણ આજ સવારથી બફારો જોવા મળ્યો છે.  ગઇકાલે સાંજે ભારે પવન ફુંકાયો હતો, લાંબા સમય બાદ ગુજરાતમાં જોરદાર ગરમી પડી રહી છે, મોટેભાગે સાંજના 6 વાગ્યા પછી ઠંડક રહેતી હોય છે, તેના બદલે રાત્રે પણ તાપમાન 42 થી 43 ડીગ્રી વચ્ચે રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન 36.6 ડીગ્રી, લઘુતમ તાપમાન 27.5 ડીગ્રી, હવામાં ભેજ 73 ટકા અને પવનની ગતિ 40 થી 45 કિ.મી. પ્રતિકલાક રહી હતી. કેટલાક ગામોમાં તો તાપમાન 43 ડીગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી કરવામાં આવી છે, આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે.


ડોકટરોના જણાવ્યા મુજબ જામનગરની ખાનગી અને જી.જી.હોસ્પિટલમાં તાવ, ઝાડા-ઉલ્ટી અને પેટના દુ:ખાવાના કેસો વધી રહ્યા છે, બંને જિલ્લાના પીએચસી-સીએચસી કેન્દ્રોમાં પણ આ પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application