બોરતળાવમાં રહેતી પરણિતાએ પોરા નાશક પ્રવાહી ગટગટાવ્યું, સ્થિતિ ગંભીર

  • September 10, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના બોરતળાવ વિસ્તારના મફતનગરમાં રહેતી પરણિતાએ આજે વ્હેલી સવારે પોતાના ઘરે કોઈકારણોસર મહાપાલિકા દ્વારા ઉપયોગ લેવાતું પોરા નાશક પ્રવાહી ગટગટાવી લેતા તેના સારવાર માટે સર્ટી હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલા મફતનગરમાં રહેતી મીરાબેન વિશાલભાઈ મેર (ઉ. વ. ૨૫)એ આજે વ્હેલી સવારે પોતાના ઘરે કોઈ કારણોસર મહાપાલિકા દ્વારા ઉપયોગમાં લેવાતું પોરાનાશક પ્રવાહી ગટગટાવી લેતા તેના ૧૦૮મારફત સારવાર માટે સર્ટી હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આગળ તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે હોસ્પિટલ પોલીસે મીરાબેનના લગ્નજીવનનો સમયગાળો ૪ વર્ષનો હોઈ જરૂરી કેસ-કાગળો તૈયાર કરી સક્ષમ પોલીસ અધિકારીને નોંધ મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application