પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપરા પીડાઈ રહ્યા આ બીમારીથી

  • August 10, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો છે. આ પહેલા તેમણે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.પરંતુ હવે નીરજ ચોપરાની હેલ્થ સંબંધિત મોટી માહિતી સામે આવી રહી છે.

નીરજ ચોપરા હર્નીયાની બીમારીથી પીડાઈ રહ્યા છે. એવું કહેમાં આવી રહ્યું છે કે, આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ટોપ-3 ડૉક્ટર નીરજ ચોપરાની સર્જરી કરી શકે છે. અંતિમ નિર્ણય નીરજ ચોપરાએ જ લેવાનો છે. છેલ્લા કેટલાક દિવસોમાં નીરજ ચોપરાએ ઘણી ઓછી ટૂર્નામેન્ટ્સ રમી છે, જેની પાછળ ગ્રોઇનની સમસ્યાને મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. તેમણે પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલ પછી પોતાની સર્જરી વિશે સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે હું મારી ટીમ સાથે વાત કરીશ અને તે મુજબ નિર્ણય લઈશ. મારામાં હજુ પણ ઘણું બધું છે અને તેના માટે મારે પોતાને ફિટ રાખવું પડશે.


આ ઉપરાંત નીરજ ચોપરાના કોચિંગ સ્ટાફ સાથે સંબંધિત મોટી માહિતી સામે આવી રહી છે. પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા છતાં નીરજ ચોપરાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવામાં આવશે. વર્તમાન કોચ ક્લાઉસ બાર્ટોનિટ્ઝ હવે નીરજ ચોપરાના સાથે નહીં હોય. ક્લાઉસ બાર્ટોનિટ્ઝ છેલ્લા લગભગ 6 વર્ષોથી નીરજ ચોપરા સાથે કામ કરી રહ્યા હતા. નીરજ ચોપરા અને ક્લાઉસ બાર્ટોનિટ્ઝનો 6 વર્ષનો સાથ છૂટવા જઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application