પરિણીતી ચોપરાએ તાજેતરમાં સોશિયલ મિડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દુઃખી હૃદય સાથે બોટમાં બેઠી છે. અભિનેત્રીએ સાથે એક લાંબી પોસ્ટ પણ લખી છે, જેમાં તે પોતાની ખુશી માટે જીવવાની વાત કરી રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવારનવાર પોતાની પોસ્ટથી લોકોના દિલને સ્પર્શતી પરિણીતીએ હાલમાં જ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ જોયા પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે લગ્નના 10 મહિના પછી તેમના લગ્નજીવનમાં કોઈ સમસ્યા સર્જાઇ કે કેમ. જોકે ગતવર્ષે 24 સપ્ટેમ્બરના રોજ પરિણીતી ચોપરાએ આપના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા.
પરિણીતીએ વીડિયો સાથેના કેપ્શનમાં લખ્યું હતુ કે આ મહિને મેં જીવન પર વિચાર કરવા માટે થોડો સમય થોભાવ્યો અને તેનાથી મારો વિશ્વાસ પુનઃસ્થાપિત થયો. માઇન્ડસેટ એ બધું છે… બિનમહત્વની વસ્તુઓ કે લોકોને મહત્વ ન આપો. એક સેકન્ડ પણ બગાડો નહીં. જીવન એક ધબકતી ઘડિયાળ છે. દરેક ક્ષણ તમારી પસંદગીની હોવી જોઈએ. કૃપા કરીને બીજા માટે જીવવાનું બંધ કરો.
તેણે લખ્યુ હતુ કે તમારી જનજાતિ શોધો અને તમારા જીવનમાંથી ઝેરી લોકોને દૂર કરવામાં ડરશો નહીં. દુનિયા શું વિચારે છે તેની કાળજી લેવાનું બંધ કરો. પરિસ્થિતિઓમાં તમે જે રીતે પ્રતિક્રિયા આપો છો તે બદલો. જીવન સીમિત છે. આ હવે થઈ રહ્યું છે. તમે તેને જીવવા માંગો છો તે રીતે જીવો.આ બધી વાતો વાંચીને ફેન્સ અંદાઝ લગાવી રહ્યા છે કે બધું બરાબર તો છે ને?
પોસ્ટ જોઇને ફેન થયા પરેશાન
પરિણીતીના લગ્નના માત્ર 10 મહિના પછી આ પોસ્ટ જોઈને તેના ફેન્સ નારાજ છે. ઘણા યુઝર્સ આ પોસ્ટ કરવાનું કારણ પૂછી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતુ કે શું આ પોસ્ટ કોઈ માટે છે?, બીજાએ લખ્યું ખૂબ સરસ કહ્યું... એવું લાગે છે કે આપણે બધાએ સમાન પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આપણે આવા લોકો પર એક ક્ષણ પણ બગાડવી જોઈએ નહીં. અન્ય એક યુઝરે કહ્યું કે આશા રાખું છું કે તમે સારા હશો. અમે હંમેશા તમારા માટે છીએ. અને અન્ય એક ચાહકે લગ્ન પછી તમે ચિંતિત છો? તેમ પણ પૂછ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech