સોનાચાંદીના વરખવાળી પાણીપુરી લોકોએ કહ્યું આ તો કોઈ કાળે ન ખવાય

  • April 16, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ પાણીપુરીના પેકેટ વેચનાર એક કંપ્નીએ પોતાના આઉટલેટમાં પ્રોપેગેન્ડા માટે સોના અને ચાંદીના વરખવાળી પાણીપુરી વેચવાનું શરુ કર્યું હોવાનો એક વિડીઓ એક બ્લોગરે પ્રમોશનના ભાગરૂપે અપલોડ કર્યો છે જે બાબતે યુજર્સે આકરી પ્રતિક્રિયાઓ આપી છે. અમુક યુજર્સે કહ્યું છે કે આ તો પાણીપુરીનું સત્યાનાશ છે, આ કોઈ કાળે ખાઈ શકાય નહીં. કેટલાકે કહ્યું કે આ પ્નુપુરી જ નથી, આમાં બટાટા કે પાણી નથી. અમુકે તેને પબ્લીસીટી સ્ટંટ માત્ર ગણાવ્યો છે.

એક સમય હતો જ્યારે લોકો ગોલગપ્પા સાથે મસાલેદાર, ખાટા અને મીઠા પાણીની પસંદગી કરતા હતા. પરંતુ અમદાવાદના એક પાણીપુરી આઉટલેટએ તમામ હદો વટાવી દીધી. આ ભાઈ બટાકા અને પાણીને બદલે ડ્રાયફ્રૂટ્સ અને થંડાઈ ઉમેરીને લોકોને ગોલગપ્પા પીરસી રહ્યા છે અને તે પણ તેના પર સોના-ચાંદીનું વર્ક ચોંટાડીને પીરસી રહ્યા છે. સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હોવા છતાં ઇન્ટરનેટ પર લોકોના અભિપ્રાય આ વિચિત્ર રેસીપી અંગે વહેંચાયેલા છે. કેટલાક લોકોને પાણીપુરી વાલા ભૈયાનો વિચાર ગમે છે, જ્યારે ઘણા લોકો માને છે કે આ એક અતિશય ઓવરહાઇડ એટલે કે વધુ પડતુ છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુકાનદાર પહેલા ગોળગપ્પા માં ઝીણી સમારેલી બદામ, કાજુ અને પિસ્તા ઉમેરે છે. પછી સ્વાદ વધારવા માટે તેમાં મધ ઉમેરવામાં આવે છે.
આપણે જાણીએ છીએ કે આ વાંચીને પાણીપુરી પ્રેમીઓનો ગુસ્સો ઉઠી ગયો હશે. પરંતુ તમારે ધીરજ રાખવી પડશે, કારણ કે આ પછી જે થસે એ ત્રાસ દાયક તમને લાગશે.દુકાનદાર ગોલગપ્પાને મસાલેદાર, ખાટા કે મીઠા પાણી સાથે નહીં પરંતુ થંડાઈ ઉમેરીને પીરસે છે. આ પહેલા તે ગોલ્ડ અને સિલ્વર વર્કથી ગોલગપ્પાને સુંદર રીતે સજાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application