લોકડાયરો, આહીરાણી મહારાસ સહિતના કાર્યક્રમોનું આયોજન
જામખંભાળીયાના નવી મોવાણ ખાતે સમસ્ત ગોજીયા પરિવાર દ્વારા આગામી તા. 17 એપ્રિલથી પાંચ દિવસ ભવ્યાતી ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, આ તકે પંચબલી મહાયજ્ઞ મહોત્સવ સહિત કસુંબલ લોકડાયરો, આહીરાણી મહારાસ જેવા રંગારંગ કાર્યક્રમ યોજાશે. આ માટેની તડામાર તૈયારીઓ સહિત તમામ વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.
ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ તા. 17 અને બુધવારથી થશે, સવારે સમર્થ ધામ ખાતે પંચબલી મહાયજ્ઞ યોજાશે, જેમાં પ્રેતબલી, નાગબલી, નારાયણ બલી, ભૂતબલી સાથે અગિયાર જેટલા વાછરા વાછરડીને પરણાવાસે, જ્યારે તા. 18 ના રોજ નાગબલી શ્રાઘ્ધ યજ્ઞ, તા. 19 ના રોજ ભૂતબલી યજ્ઞ, તેમજ તા. ર0 ના દિને નારાયણ બલી શ્રાઘ્ધ યજ્ઞ, ઉપરાંત તા. ર1 ના રોજ નિલોત્સર્ગ શ્રાઘ્ધ યજ્ઞ યોજાશે.
તેમજ આજ દિવસે રાત્રે સૌરાષ્ટ્ર કચ્છની અસ્મિતા સમાન કસુંબલ લોકડાયરો યોજાશે, જેમાં લોકકલાના માહીર એવા ઇન્ટરનેશનલ કલાકાર માયાભાઇ આહીર સહિત સાથી કલાકારો બીરજુ બારોટ, લોક સાહિત્યકાર વજુભાઇ ગોજીયા સહિત રાતભર કલાના કામણ પાથરસે.
કાર્યક્રમની સાથે સાથે આહીરાણીઓનો મહારાસ યોજાનાર હોવાથી જ્ઞાતિની મહિલાઓમાં હર્ષોલ્લાસ છવાયો છે, આ તકે ગોજીયા પરિવારે આહીરાણી મહારાસમાં ટ્રેડીશ્નલ ડ્રેસ પહેરીને આવવા માટે અપીલ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech