ભારતે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારથી ભાગી ગયેલા હિન્દુ, પારસી, શીખ, બૌદ્ધ, જૈન અને િસ્તી ધર્મના લોકોને નાગરિકતા આપવાનો નિર્ણય કર્યેા છે. આ માટે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવામાં આવ્યો છે. હવે પાકિસ્તાને આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ભારત અને મોદી સરકારના આ નિર્ણય પર પાકિસ્તાને ઝેર ઓકયું છે.પાકિસ્તાને કહ્યું કે આ કાયદો ભેદભાવપૂર્ણ છે જે મોદી સરકારના અશુભ એજન્ડાને વધુ ઉજાગર કરે છે.પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવકતા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું, 'હા, અમે ભારતીય નાગરિકતા સંશોધન અધિનિયમ ૨૦૧૯ હેઠળ મુસ્લિમો, લઘુમતીઓ અને ઇમિગ્રન્ટસને લઈને ભારતમાં હાલમાં ચાલી રહેલી 'કાનૂની ચર્ચા' પર કેટલાક સમાચારોમાં અહેવાલો જોયા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે કાયદો અને સંબંધિત નિયમો ભેદભાવપૂર્ણ છે, કારણ કે તે લોકો વચ્ચે તેમના વિશ્વાસના આધારે ભેદભાવ કરે છે.નાગરિકતા સુધારો અધિનિયમ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ પહેલા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી ધાર્મિક જુલમથી ભાગીને ભારતમાં આવેલા હિન્દુ, પારસી, શીખ, બૌદ્ધ, જૈન અને િસ્તીઓને ભારતીય નાગરિકતા આપે છે. જો કે, પાકિસ્તાને નિર્લતાપૂર્વક સ્વીકારવાનો ઇનકાર કર્યેા હતો કે મુસ્લિમ દેશોમાં લઘુમતીઓ પર અત્યાચાર થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech