હાલમાં, કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીને દરરોજ 90 ક્યુસેક પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી તક્ષશિલા સહિત અન્ય નાના ઉપભોક્તાઓને 6.18 ક્યુસેક પાણી મળી રહ્યું છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ, પાણી અને સ્વચ્છતા એજન્સી મે મહિનાના બીજા અઠવાડિયાથી પાણીનું રેશનિંગ શરૂ કરવાની યોજનામાં છે. જો ટૂંક સમયમાં વરસાદ નહીં પડે તો ડેમનું પાણીનું સ્તર વધુ ઘટી શકે છે, જે રાવલપિંડી અને ઇસ્લામાબાદના પીવાના પાણી પુરવઠા પર ગંભીર અસર કરી શકે છે. આ બંધ ઇસ્લામાબાદથી લગભગ 40 કિલોમીટર અને હરિપુરથી 15 કિલોમીટર દૂર સ્થિત છે.
ગઈકાલે ઈન્ડિયા એટ ૨૦૪૭ સમિટને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું હતું કે અગાઉ પણ ભારતના હિસ્સાનું પાણી જતું રહ્યું હતું. હવે ભારતનું પાણી ભારતના પક્ષમાં રહેશે અને ફક્ત ભારત માટે જ ઉપયોગી થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે જ્યારે લોકો દેશ તરફ જુએ છે, ત્યારે તેઓ ગર્વથી કહી શકે છે કે લોકશાહીમાં પરિણામો મળી રહ્યા છે.
જો 15 દિવસમાં વરસાદ નહીં પડે તો પરિસ્થિતિ ગંભીર બનશે
અધિકારીઓએ જણાવ્યું હતું કે જો આગામી 10 થી 15 દિવસમાં વરસાદ નહીં પડે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જળાશયના ઘણા ભાગોમાં ખડકો અને ટેકરા દૃશ્યમાન થવા લાગ્યા છે. પાણી અને વીજળી વિકાસ સત્તામંડળ ના અધિકારીએ જણાવ્યું હતું કે ગઈકાલે ડેમનું પાણીનું સ્તર 1,935 ફૂટ નોંધાયું હતું, જે 1,910 ફૂટના ડેડ લેવલથી માત્ર 25 ફૂટ વધારે છે. તેમણે કહ્યું કે વિસ્તારમાં ઓછો વરસાદ અને દુષ્કાળને કારણે, કેચમેન્ટ વિસ્તારમાં કુદરતી ઝરણા પણ સુકાઈ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech