પાકને મરચા લાગ્યા, કહ્યું અહીંના હિંદુ મંદિરો પર અમે હુમલા કરીશું

  • January 24, 2024 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને મંદિરમાં ભગવાન ની પ્રાણ પ્રતિાને લઈને પાકિસ્તાનના લોકોને જોરદાર મરચા લાગ્યા છે પ અમુક લોકો એ લોકોએ પાકિસ્તાનમાં મંદિરો પર હત્પમલાની વાત કરી. અગાઉ પાકિસ્તાન સરકારે પણ અહી પ્રાણ પ્રતિાનો વિરોધ કર્યેા હતો.રામ મંદિરના અભિષેકને લઈને સૌથી મોટી પીડા પાકિસ્તાનીઓમાં જોવા મળી રહી છે. રામ મંદિરના અભિષેક બાદ પાકિસ્તાનના લોકો મંદિરો પર હત્પમલાની વાતો કરી રહ્યા છે. પાકિસ્તાની લોકો કહે છે કે ભલે અમે ભારતમાં કઈં કરી શકતા નથી, પરંતુ અમે પાકિસ્તાનમાં મંદિરો તોડી શકીએ છીએ. સોમવારે રામ મંદિરનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પછી પાકિસ્તાનના કેટલાક યુટુબર્સે લોકો સાથે વાત કરી. આમાં ભારતીયો પ્રત્યે પાકિસ્તાનના લોકોમાં નફરત સ્પષ્ટ્ર દેખાતી હતી.પાકિસ્તાની યુટુબર નિમરા અહેમદે લોકો સાથે વાત કરી. આમાં એક વ્યકિતએ કહ્યું કે તેઓએ અમારી સાથે જે કયુ છે, અમે પણ તેમની સાથે તે જ કરીશું. યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ શું કરશે તો તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનમાં મંદિરો પણ તોડીશું. તેમણે કહ્યું કે અમે અયોધ્યામાં મંદિર નિર્માણ સામે પાકિસ્તાનમાં વિરોધ કરીશું. યારે તેમને પૂછવામાં આવ્યું કે ઇસ્લામનો ગઢ ગણાતા સાઉદી શા માટે વિરોધ નથી કરી રહ્યું. આના પર વ્યકિતએ કહ્યું કે તેઓ હંમેશા કોઈપણ મુદ્દા પર મૌન રહ્યા છે.

પાકિસ્તાનના લોકો ભારત અને હિંદુઓ પ્રત્યે કેટલું ઝેર ધરાવે છે તે એક વ્યકિતના નિવેદનમાં પણ જોવા મળ્યું હતું. તેમણે કહ્યું, 'અમે ભારતમાં જઈને મંદિરોને નષ્ટ્ર કરી શકીશું નહીં. તેથી આપણે પાકિસ્તાનના એક–બે મંદિરો તોડી પાડવા જોઈએ. યારે તેને પૂછવામાં આવ્યું કે આખરે નુકસાન તો પાકિસ્તાનના હિંદુઓને જ છે. આ અંગે ચોંકાવનારો જવાબ મળ્યો હતો. આ વ્યકિતએ કહ્યું કે પાકિસ્તાનમાં બહત્પ ઓછા હિંદુઓ રહે છે. એક–બે મંદિરો તોડી નાખીશું તો શું થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application