ગોંડલમાં ચિત્રકાર મુનિર બુખારીએ વિશાળકાય રામચંદ્રનું ચિત્ર બનાવ્યું

  • February 03, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની ઉંચી ઉંચી ઈમારતો અને લાંબી દીવાલો પર બ્રશ અને એરગનથી પેઇન્ટિંગ કરીને ગોંડલના ઇન્ટરનેશનલ કલાકાર તરીકે મુનિર બુખારી જાણીતા બન્યા છે. તાજેતરમાં તેમણે ભુરા બાવાના ચોરે ૨૩૨૫ ફિટ સાઇઝનું વિશાળકાય ભગવાન શ્રી રામચંદ્રનું અતિ સુંદર અને સૌમ્ય ભિત ચિત્ર દોરીને આ ચોરાની ભવ્યતામાં વધારો કર્યો છે. ચિત્ર બનાવવામાં ૬ દિવસનો સમય લાગ્યો હતો.
એકલા હાથે ભગવાન શ્રી રામનું ચિત્ર બનાવીને તેમણે દરેકને મંત્રમુગ્ધ કર્યા હતા. જેના માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં સમાજ આગેવાનો સ્થાનિક તેમજ બહારગામથી મહેમાનો હાજર રહ્યા હતા. નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું. આ સન્માન ભુરાબાવાના ચોરો, રામાનંદી સાધુ સમાજ, ભોજરાજપરા યુવક મંડળ- ગોંડલ, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ગોંડલ માજી ધારાસભ્ય, જયરાજસિંહ જાડેજા, લીમડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નાગરિક બેન્કના ચેરમેન અશોકભાઈ પીપળીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ચિત્ર દોરવાનું કામ હાથમાં લીધા પછી, અયોધ્યા મંદિરના ગર્ભગૃહમાં ચિત્ર દોરવાનું આમંત્રણ આવ્યું હતું પણ ગોંડલમાં કામ ચાલુ હોવાથી અયોધ્યાના કામને દિલગીરી સાથે ના પાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application