બીઆર આંબેડકર પરની ટિપ્પણીને લઈને સંસદમાં હોબાળો થયો છે. ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે. બુધવારે વિપક્ષી દળોએ આ મુદ્દે સંસદના બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ અમિત શાહના રાજીનામાની માગ કરી રહી છે. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો છે.
વડાપ્રધાને કહ્યું કે, જો કોંગ્રેસ અને તેની સડેલી મશીનરી એવું વિચારે છે કે દૂષિત જૂઠાણાં વર્ષોથી તેમના દુષ્કૃત્યોને છૂપાવી શકે છે, ખાસ કરીને ડો. આંબેડકરનું અપમાન, તો તેઓ ભ્રમમાં છે. ટ્વીટર પર પોસ્ટ કરતા મોદીએ લખ્યું કે, દેશના લોકોએ વારંવાર જોયું છે કે કેવી રીતે એક વંશના નેતૃત્વ હેઠળની પાર્ટીએ ડો. આંબેડકરના વારસાને ભૂંસી નાખવા અને SC/ST સમુદાયોને અપમાનિત કરવા માટે દરેક સંભવિત ગંદી યુક્તિઓનો ઉપયોગ કર્યો છે.
કોંગ્રેસ પર મોદીનો પલટવાર
મોદીએ એમ પણ લખ્યું છે કે, આંબેડકર વિરુદ્ધ મારી પાસે કોંગ્રેસના પાપોની યાદી છે. તે યાદીમાં આંબેડકરને ચૂંટણીમાં એક વાર નહીં પરંતુ બે વાર હરાવ્યાનો સમાવેશ થાય છે. પંડિત નેહરુએ તેમની સામે પ્રચાર કર્યો અને તેમની હારને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો. તેમને ભારત રત્ન આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. સંસદના સેન્ટ્રલ હોલમાં તેમના પોટ્રેટને સન્માનની જગ્યા આપવામાં આવી નહોતી. કોંગ્રેસ ગમે તેટલી કોશિશ કરે, તેઓ એ વાતનો ઈન્કાર કરી શકતા નથી કે, તેમના શાસનમાં SC/ST સમુદાયો સામે સૌથી ખરાબ હત્યાકાંડો થયા છે. તેઓ વર્ષો સુધી સત્તામાં રહ્યા, પરંતુ SC અને ST સમુદાયોને સશક્ત કરવા માટે કશું નક્કર કર્યું નહીં.
PM મોદીએ અમિત શાહનો વીડિયો શેર કર્યો
PMએ અમિત શાહે રાજ્યસભામાં આપેલા નિવેદનનો વીડિયો શેર કર્યો છે. મોદીએ લખ્યું છે કે, 'સંસદમાં અમિત શાહે ડૉ. આંબેડકરનું અપમાન કરવા અને SC/ST સમુદાયોની અવગણના કરવાના કૉંગ્રેસના ઘેરા ઇતિહાસનો પર્દાફાશ કર્યો. શાહના તથ્યોથી કોંગ્રેસ પરેશાન છે. આથી કોંગ્રેસ ડ્રામા કરી રહી છે. જનતા સત્ય જાણે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech