જામજોધપુર તાલુકાના પી.એમ.પોષણ યોજનાના ૯૨ કેન્દ્રો પર સંચાલક, રસોયા તથા મદદનીશની નિમણૂંક કરાશે
૨૦ થી ૬૦ વર્ષની ઉંમરના જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી તા.૩૦ જુલાઈ સુધીમાં મામલતદાર કચેરી જામજોધપુર ખાતે અરજી કરી શકશે
જામનગર તા.૨૦ જુલાઈ, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં વિવિધ ૯૨ ગામોના પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રો માટે સંચાલક, રસોયા અને મદદનીશ જગ્યાઓ ભરવામા આવનાર છે. જેમાં ફરજ બજાવવા અંગે ઇચ્છુક ઉમેદવારોએ આગામી તા.૩૦ જુલાઈ સુધીમાં તેમનું આખું નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથેની સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી પ્રમાણપત્રોની નકલો અરજી પત્રક સાથે મામલતદાર કચેરી જામજોધપુર ખાતે રજૂ કરવાની રહેશે.
પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રો પર આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે નિયત માનદવેતન દ્વારા કેન્દ્ર સંચાલક, રસોયા અને મદદનીશની નિમણૂક કરવાની થતી હોય રસ ધરાવતા તેમજ સરકારના પરીપત્ર મુજબ એસ.એસ.સી.ની લાયકાત ધરાવતા, ૨૦ થી ૬૦ વર્ષની વયમર્યાદા ધરાવતા, તંદુરસ્ત અને કોઇપણ ગુનાહીત કૃત્ય કરેલ ન હોય તેવા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાથી તા.૩૦/૦૭/૨૦૨૪ સુધીમાં કામકાજના સમય દરમિયાન નિયત નમુનામાં આધારો આથે અરજી કરવાની રહેશે. મહીલાઓ, સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. નિયત નમુનાના અરજી ફોર્મ કામકાજના સમય દરમિયાન કચેરીની પી.એમ.પોષણ શાખામાંથી વિનામુલ્યે મળી શકશે. તેમ મામલતદારશ્રી, જામજોધપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ કુણા પડ્યા, ભારત સહિત 3 દેશ સાથે વાટાઘાટ માટે તૈયાર
April 05, 2025 10:36 AMટેરિફ વોરથી યુએસ શેરબજારમાં મોટા બિઝનેસમેન ટકી રહેશે, નબળા ડૂબી જશેઃ ટ્રમ્પ
April 05, 2025 10:36 AMપાપુઆ ન્યુ ગિનીમાં 7.1નો ભૂકંપ, સુનામીની ચેતવણી
April 05, 2025 10:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech