ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બીજી વખત મુખ્યમંત્રી બન્યાને આવતીકાલે બે વર્ષ પૂર્ણ થાય છે તેની પૂર્વ સંધ્યાએ તેઓ દિલ્હી જવા રવાના થયા છે આજની દિલ્હીની મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ,અમિત શાહ સાથે અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે બેઠક કરશે આ બેઠક દરમિયાન ગુજરાતના વિકાસ અને પોલિટિકલ બાબતો પર પરામર્સ કરે તેવા સંકેત મળી રહ્યા છે.
ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે ખાસ વિમાન દ્રારા દિલ્હી જવા રવાના થયા હતા. છેલ્લ ા ત્રણ મહિનાની કામગીરી નો રિપોર્ટ લઈને તેઓ દિલ્હી ગયા છે આરોગ્ય ,શિક્ષણ અને કાયદો વ્યવસ્થાના મામલે ચર્ચા કરશે તો આગામી દિવસોમાં યોજનારી સ્થાનિક સ્વરાયની ચૂંટણી ને લઈને પરામર્શ કરવામાં આવશે.
આજની દિલ્હીની મુલાકાતને લઈને તેઓએ ગઈકાલે રાયમંત્રી મંડળની બેઠક બોલાવી હતી .
આ બેઠક દરમિયાન તેમણે સ્થાનિક સ્વરાયની ચૂંટણીને લઈને ધારાસભ્યોને વિવિધ જિલ્લ ાઓની જવાબદારી સોંપી હતી. બિન સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભુપેન્દ્રભાઈ પટેલની સરકારને બીજી વખત શપથ લીધા અને આવતીકાલે બે વર્ષ પૂર્ણ થયા છે તેની પૂર્વ સંધ્યાએ તેઓ દિલ્હી ગયા હોવાથી પોલિટિકલ વાતાવરણમાં એક ગરમાવો આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech