પહેલગામ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપતા, ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર અંગે કેબિનેટ મંત્રીઓને માહિતી આપતી વખતે સેનાની પ્રશંસા કરી.
મંત્રીઓએ પીએમ મોદીને અભિનંદન આપ્યા
સૂત્રોના જણાવ્યા મુજબ ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતાં પીએમ મોદીએ કહ્યું કે આ તો થવાનું જ હતું, આ દેશ માટે ગર્વની ક્ષણ છે. આ સફળ કામગીરી માટે કેબિનેટ મંત્રીઓએ પીએમ મોદીને અભિનંદન આપ્યા.
તમામ મંત્રીમંડળના સભ્યોએ ટેબલ થપથપાવ્યા
લગભગ ચાર મિનિટ સુધી ઓપરેશનના વિવિધ પાસાઓ સમજાવવામાં આવ્યા. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આવું થવાનું જ હતું. આખો દેશ અમારી તરફ જોઈ રહ્યો હતો. અમને અમારી સેના પર ગર્વ છે. આના પર, તમામ મંત્રીમંડળના સભ્યોએ ટેબલ થપથપાવીને કાર્યવાહીને બિરદાવી હતી.
આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી
આ સમગ્ર ઘટના અંગે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે, જેની અધ્યક્ષતા રાજનાથ સિંહ કરશે. આ બેઠકમાં કેન્દ્ર તરફથી અમિત શાહ અને કિરેન રિજિજુ પણ હાજર રહેશે. આ બેઠક સવારે ૧૧ વાગ્યે બોલાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech