લાલ કિલ્લા પર સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવી પીએમ મોદી ડૉ. મનમોહન સિંહને છોડી દેશે પાછળ

  • August 13, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 11મી વખત લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. પીએમ મોદી 11મી વખત રાષ્ટ્ધ્વજ લહેરાવીને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પાછળ છોડી દેશે, જેમણે સતત 10 વખત ત્રિરંગો લહેરાવ્યો હતો. જો કે, તેઓ પંડિત જવાહર લાલ નેહરુની પાછળ રહેશે જેમણે લાલ કિલ્લા પર સતત 17 વખત ધ્વજ ફરકાવ્યો છે.


જવાહરલાલ નેહરુએ 17 વખત તિરંગો ફરકાવ્યો હતો. જ્યારે ઈન્દિરાએ 16 વખત લહેરાવ્યો હતો. લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ વડાપ્રધાન નેહરુના નામે છે. આ પછી સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીએ લાલ કિલ્લા પર 16 વખત ધ્વજ ફરકાવ્યો હતો. નેહરુએ 1947 થી 1963 સુધી સતત ધ્વજ ફરકાવ્યો હતો, જયારે પૂર્વ પીએમ મનમોહન સિંહે 2004 થી 2013 સુધી સતત દસ વખત ધ્વજ ફરકાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application