PM મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું, પીડિતોને પણ મળશે

  • August 10, 2024 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે કેરળ પહોંચ્યા હતા. વડા પ્રધાન વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે અને પીડિતોને પણ મળશે. પીડિતો જ્યાં રોકાયા છે તે રાહત કેમ્પની વડાપ્રધાન મોદી મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ પીએમ હોસ્પિટલની મુલાકાત પણ લેશે.


કેરળ પહોંચ્યા બાદ પીએમ મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. પીએમ મોદી સાથે સીએમ પિનરાઈ વિજયન પણ હાજર હતા. તેમણે પુંચીરીમટ્ટમ, મુંડક્કાઈ અને ચુરલમાલાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું.

30 જુલાઈના રોજ, ભારે વરસાદને પગલે વાયનાડના ચુરામાલા અને મુંડક્કાઈમાં ભૂસ્ખલન થયું હતું. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application