વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (23 ઑક્ટોબર) ના રોજ 16મી બ્રિક્સ સમિટને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે ભારત યુદ્ધનું સમર્થન કરતું નથી પરંતુ કૂટનીતિ અને વાતચીતનું સમર્થન કરે છે. તેમણે ચીન અને રશિયા જેવા મોટા દેશોના પ્રમુખોની સામે પણ આતંકવાદ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આતંકવાદના મુદ્દે લોકોનું બેવડું વલણ ચાલશે નહીં.
પીએમ મોદીએ કહ્યું, “અમારી બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ યુદ્ધ, સંઘર્ષ, આર્થિક અનિશ્ચિતતા, જળવાયુ પરિવર્તન, આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલું છે. વિશ્વમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમના વિભાજનની ચર્ચા છે. મોંઘવારી નિવારણ, ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, જળ સુરક્ષાએ તમામ દેશો માટે પ્રાથમિકતાના વિષયો છે અને ટેકનોલોજીના યુગમાં સાયબર સુરક્ષા, ડીપ ફેક, ડિસઇન્ફોર્મેશન વગેરે નવા પડકારો બની ગયા છે. આવી સ્થિતિમાં બ્રિક્સને લઈને ઘણી અપેક્ષાઓ છે.
આતંકવાદ પર પીએમ મોદીનું કડક વલણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આતંકવાદ અને ટેરર ફાઇનાન્સિંગનો સામનો કરવા માટે આપણે બધાએ સાથે આવવું પડશે અને સહકાર આપવો પડશે. આવા ગંભીર વિષય પર બેવડા ધોરણોને કોઈ અવકાશ નથી. આપણા દેશના યુવાનોમાં કટ્ટરપંથને રોકવા માટે આપણે સક્રિય પગલાં લેવા જોઈએ. આપણે યુએનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનના પેન્ડિંગ મુદ્દા પર સાથે મળીને કામ કરવું પડશે.
'બ્રિક્સ એ વિભાજનકારી, જાહેર હિતનું જૂથ નથી'
પ્રધાનમંત્રીએ કહ્યું, “હું માનું છું કે એક વૈવિધ્યસભર અને સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે બ્રિક્સ તમામ વિષયો પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. આ સંદર્ભમાં આપણો અભિગમ લોક કેન્દ્રિત રહેવો જોઈએ. આપણે વિશ્વને આ સંદેશ આપવો જોઈએ કે બ્રિક્સએ વિભાજનકારી નથી પરંતુ જાહેર હિતનું જૂથ છે.
PM મોદીએ ભારતના વખાણ કરતા શું કહ્યું?
વિશ્વ પ્રત્યેના ભારતના અભિગમ પર બોલતા તેમણે કહ્યું, “અમે સંવાદ અને મુત્સદ્દીગીરીને સમર્થન આપીએ છીએ, યુદ્ધને નહીં અને જેમ આપણે સાથે મળીને કોવિડ જેવા પડકારોને હરાવીએ છીએ, અમે ભવિષ્યની પેઢીઓ માટે સંપૂર્ણ રીતે સક્ષમ, સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્યનું સમર્થન કરીશું."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech