નાઈજીરીયાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે બ્રાઝિલ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં જી–૨૦ સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બ્રાઝિલમાં ઉષ્માભયુ સ્વાગત કરવામાં આવ્યું. બ્રાઝિલમાં ભારતીય સમુદાયના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે એક હોટલની બહાર એકઠા થયા હતા.
બ્રાઝિલ પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, હત્પં જી ૨૦ સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યો છું. મને આશા છે કે આ સમિટ વિશ્વના વિવિધ નેતાઓ સાથે અર્થપૂર્ણ વાર્તાલાપ બની રહેશે.
વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પણ કહ્યું, પીએમ મોદી જી– ૨૦ બ્રાઝિલ સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના શહેર રિયો ડી જાનેરો પહોંચ્યા છે. આ દરમિયાન તેણે એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગતની તસવીરો પણ શેર કરી હતી.
પીએમ મોદી બ્રાઝિલમાં ૧૯મી જી–૨૦ સમિટમાં ટ્રોઇકાના સભ્ય તરીકે ભાગ લેશે. ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની સાથે જી–૨૦ ટ્રોઇકાનો ભાગ છે. ચાલી રહેલી જી–૨૦ સમિટ ચર્ચાઓમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે. પીએમ મોદી આ સમિટમાં વૈશ્વિક મહત્વના વિવિધ મુદ્દાઓ પર ભારતનું વલણ રજૂ કરશે. જી–૨૦ સમિટ દરમિયાન વડાપ્રધાન અનેક નેતાઓને મળવાના છે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી–૨૦ સમિટમાં ભાગ લેવા માટે ગઈકાલે સાંજે નાઈજીરિયાથી બ્રાઝિલ જવા રવાના થયા હતા. તેમણે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની મુલાકાતને અર્થપૂર્ણ ગણાવી હતી. આ ઉપરાંત નાઈજીરીયાના રાષ્ટ્ર્રપતિ બોલા ટીનુબુએ વડાપ્રધાન મોદીને નાઈજીરીયાના સર્વેાચ્ચ સન્માન ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજરથી સન્માનિત કર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech