નાની બચત યોજનામાં ૩૦મી સુધીમાં પાન–આધાર કાર્ડ જમા કરાવવા પડશે

  • September 22, 2023 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાણા મંત્રાલય દ્રારા ૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તમે નાની બચત યોજનાઓ હેઠળ એકાઉન્ટ ઓપન કરાવ્યું છે અથવા રોકાણ કયુ છે તો તમારે કેવાયસી દસ્તાવેજો હેઠળ પાન અને આધાર કાર્ડ આપવું ફરજિયાત રહેશે.નોટિફિકેશન મુજબ, જેમણે ખાતું ખોલાવતી વખતે આધાર અને પાન જમા કરાવ્યું નથી તેમના માટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં આ કરવાનું ફરજિયાત છે. જો કે, જો દસ્તાવેજો આપવામાં આવ્યા છે તો તે સબમિટ કરવાના રહેશે નહીં.

નવા નોટિફિકેશન મુજબ, જો નાની બચત યોજનાના ડિપોઝિટરે એકાઉન્ટ ઓપન કરાવ્યું છે તો અને આધાર અને પાન કાર્ડ જમા કરાવ્યું નથી તો તેમને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં આ દસ્તાવેજો સબમિટ કરવા ફરજિયાત રહેશે.કેનેરા બેન્કની વેબસાઈટ અનુસાર, ૧ એપ્રિલથી સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરનારા નવા યુઝર્સ માટે પાન ફરજિયાત કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે જો તમે ૧ એપ્રિલ, ૨૦૨૩ પછી ખાતું ખોલાવ્યું છે તો તમારે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં આધાર અને પાન કાર્ડ સબમિટ કરવું ફરજિયાત નથી.
જો આધાર અને પાન કાર્ડને એકાઉન્ટ સાથે લિંક નહી હોય તો ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી પાન અને આધાર કાર્ડ બ્રાન્ચમાં જમા નહી થાય ત્યાં સુધી એકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે. એકાઉન્ટ સસ્પેન્શનનો અર્થ છે કે તમે પૈસાની લેવડદેવડ કરી શકશો નહીં. નોંધનીય છે કે પોસ્ટ ઓફિસ યોજનાઓમાં , ટીડી, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, એફડી, આરડી, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, પીપીએફ, વરિ નાગરિક બચત યોજના અને કિસાન વિકાસ પત્ર (ઐંટઙ)નો સમાવેશ થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application