નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગે 12મા અને 11મા ધોરણના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. જેમાં NCERTએ 12મા ધોરણના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી 'બાબરી મસ્જિદ' શબ્દ હટાવી દીધો છે. તેના સ્થાને 'ત્રણ ગુંબજ સ્ટ્રક્ચર' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ NCERT અને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
એઆઈએમઆઈએમના વડા અને હાલના હૈદરાબાદ લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ X પર એક પોસ્ટ લખતા કહ્યું કે NCERTએ બાબરી મસ્જિદની જગ્યાએ "ત્રણ ગુંબજ સ્ટ્રક્ચર" શબ્દો લખવાનું નક્કી કર્યું છે. તેણે અયોધ્યાના નિર્ણયને “સહમતિ”ના ઉદાહરણ તરીકે વર્ણવવાનું પણ નક્કી કર્યું છે. ઓવૈસીએ વધુમાં કહ્યું કે ભારતના બાળકોને ખબર હોવી જોઈએ કે સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદના ધ્વંસને "ઘર અપરાધિક કૃત્ય" ગણાવ્યું છે.
આ દરમિયાન એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે ભારતના બાળકોને ખબર હોવી જોઈએ કે 1949માં એક કાર્યરત મસ્જિદનું અપમાન કરવામાં આવ્યુ હતું અને પછી 1992માં ટોળાએ તેને તોડી પાડી હતી. આવી સ્થિતિમાં NCERTએ ગુનાહિત કૃત્યોને વખાણતા મોટા થવું જોઈએ નહીં.
જૂના NCERT પુસ્તકમાં બાબરી મસ્જિદને 16મી સદીની મસ્જિદ તરીકે રજૂ કરવામાં આવી છે. જેનું નિર્માણ મુગલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બાકી દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે હવે તેને 'ત્રણ-ગુંબજવાળું માળખું' બતાવે છે. જે વર્ષ 1528માં શ્રી રામના જન્મસ્થળ પર બનાવવામાં આવ્યું હતું પરંતુ સંરચનાના આંતરિક અને બાહ્ય ભાગો સ્પષ્ટપણે હિન્દુ પ્રતીકો અને અવશેષો દર્શાવે છે.
જ્યારે જૂના NCERT પુસ્તકમાં ફૈઝાબાદ (હવે અયોધ્યા) જિલ્લા અદાલતના આદેશ પર ફેબ્રુઆરી 1986 માં મસ્જિદના તાળા ખોલવામાં આવ્યા પછી 'બંને બાજુએ' એકત્રીકરણ વિશે બે કરતાં વધુ પૃષ્ઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech