જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં ભારત-પાક.ના મેચને અનુરુપ ઇન્ડિયા વિકટરી સાથેની ઝાંખી

  • September 02, 2023 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભોળાનાથ ભાવિકોએ ઝાંખીના નિહાળીને ધન્યતા અનુભવી

છોટી કાશીના ઉપનામ થી પ્રચલિત એવા જામનગર શહેરમાં શ્રાવણ માસ દરમિયાન અનેક શિવાલયોમાં વિવિધ દર્શન સાથેની ઝાંખી ઉભી કરવામાં આવી રહી છે, જેની સાથે સાથે આજે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં ભગવાન શિવજીની ઝાંખી તૈયાર કરાયા બાદ મંદિર પરીસરમાં ભારત-પાકિસ્તાનના મેચને લઈને ઇન્ડિયા વિકટરી સાથેની ઝાંખી પણ ઊભી કરવામાં આવી છે.
જામનગરના કાશી વિશ્વનાથ મંડળ અને સમસ્ત ખવાસ રાજપુત સમાજ દ્વારા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર પરિસરમાં એક સ્થળે ભગવાન મહાદેવનું મોટું સ્વરૂપ તૈયાર કરાયું છે, જેની સન્મુખ ભારત- પાકિસ્તાનની મેચની થીમ સાથેનું ડેકોરેશન તૈયાર કરાયું છે.
જેમાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને પીચ બનાવાયા પછી તેમાં ઇન્ડિયા ના સ્લોગન અને ભારતના ઝંડા વગેરે દર્શાવાયા છે, સાથો સાથ ભારતીય ક્રિકેટ ખેલાડીઓના ટીશર્ટ પણ લગાવવામાં આવ્યા છે.ભારત- પાકિસ્તાન વચ્ચેના મેચમાં ભારત વિજયી બને તે માટે ભોળાનાથ પાસે પ્રાર્થના પણ કરવામાં આવી છે. જે પી તૈયાર કરવામાં આવી છે, તેમાજ જુદી જુદી ટ્રોફી ઉપરાંત ભારતીય સ્ટાર ખેલાડીઓના ફોટા પણ મૂકવામાં આવ્યા છે. ભોળાનાથના દર્શને આવેલા ભાવિકો ઝાંખી નિહાળીને અભિભૂત થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application