જામનગરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગોસરાણી કોમર્સ કોલેજમાં ‘પેરેન્ટસ મીટ’ નું આયોજન

  • July 11, 2023 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગોસર હંસરાજ ગોસરાણી કોમર્સ એન્ડ ડી. ડી. નાગડા બીબીએ કોલેજ દ્વારા સાંપ્રત શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ બી.કોમ ના વિદ્યાર્થીઓની ‘પેરેન્ટસ મીટ’ તા. ૬ જૂલાઇ ૨૦૨૩ ના રોજ આયોજિત કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટનાં સેક્રેટરી ચંદુલાલ શાહ, ટ્રસ્ટી ડો. ભરતેષ શાહ, કોલેજનાં કેમ્પસ ડાયરેક્ટર પ્રિન્સિપાલ ડો. સ્નેહલ કોટક પલાણ, જેવીઆઇએમએસ એમબીએ કોલેજનાં ડાયરેક્ટર ડો. અજય શાહ, વાઇસ પ્રિન્સિપાલ સેન્ડ્રા મોસ, સ્ટાફ ગણ તથા બહોળી સંખ્યામાં વાલીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા.
પ્રસ્તુત કાર્યક્ર્મની શરૂઆત સરસ્વતી વંદના-દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ હતું, ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડો. સ્નેહલ મેડમ દ્વારા શહેરની નામાંકિત કોલેજમાં પ્રવેશ મેળવવા બદલ દરેક વિદ્યાર્થીને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી તેમજ ઉપસ્થિત અતિથિઓના સ્વાગત-પ્રવચનની સાથોસાથ કોલેજ દ્વારા મેળવેલ રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિઓ - ‘બેસ્ટ અંડર ગ્રેજ્યુએટ કોલેજ ઇન ગુજરાત ૨૦૨૩’ તથા રાષ્ટ્રીય સ્વચ્છતા પુરસ્કાર ઈત્યાદી વિશે તેમજ કોલેજના નીતિ-નિયમો વિશે માહિતગાર કરવામાં આવેલ હતા. સેક્રેટરી ચંદુભાઈ શાહ તથા ટ્રસ્ટી ડો. ભરતેષ શાહ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃત્તિઓ રજૂ કરવામાં આવેલ હતી તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીની રિદ્ધિ સોમૈયા દ્વારા કોલેજ વિશે પોતાના પ્રતિભાવ તેમજ પૂર્વાનુભવ પેરેન્ટસ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા અને અંતે કોલેજના પ્રાધ્યાપક સ્નેહા સુમરીયા દ્વારા આભારદર્શન કરવામાં આવેલ હતું, આ કાર્યક્રમની સફળતાનો સંપૂર્ણ શ્રેય કોલેજનાં કેમ્પસ ડાયરેક્ટર તથા પ્રિન્સિપાલ ડો. સ્નેહલ કોટક પલાણનાં માર્ગદર્શન હેઠળ, ગોસર હંસરાજ ગોસરાણી કોમર્સ એન્ડ ડી. ડી. નાગડા બીબીએ કોલેજની સમગ્ર ટીમના શિરે જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application