જામનગરના એક આસામીને વીમો ઉતારવાનું કહી એડવાન્સ પેટે રૃા.૫૮ હજાર મેળવ્યા પછી તે ચેક પરત ફર્યાની ફરિયાદમાં અદાલતે તે આસામીને ચાર મહિનાની કેદની સજા ફટકારી છે.
જામનગરના હાર્દિક રાજેશભાઈ જીલકા નામના આસામીએ ખાનગી કંપનીમાં પોતાની ઓળખાણ હોવાનું જણાવી અઢીસો જેટલા મજૂરોને હેલ્થ ઈન્સ્યુરન્સ ઉતારવા માટે અંકુર સતિષભાઈ ખન્ના સાથે વાતચીત કર્યા પછી એડવાન્સ ખર્ચ પેટે રકમ માગતા અંકુર ખન્નાએ રૃા.૭૮ હજાર ચૂકવ્યા હતા.
ત્યારપછી વીમા પોલિસી લેવામાં ન આવતા અંકુરભાઈએ પોતાની રકમ પરત માગી હતી. હાર્દિકે રૃા.૨૦ હજાર રોકડા આપ્યા પછી રૃા.૫૮ હજારનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા નોટીસ આપી અંકુર ખન્નાએ અદાલતમાં ફરિયાદ કરી હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી હાર્દિક રાજેશભાઈ જીલકાને તક્સીરવાન ઠરાવી ચાર મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે. સજાના હુકમ સમયે આરોપી અદાલતમાં હાજર ન હોવાથી વોરંટ કાઢવામાં આવ્યું છે.
ફરિયાદી તરફથી વકીલ એન.એમ. ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.
***
જામનગર મા ચેક પરત ની ફરિયાદમાં આરોપીને સજા
જામનગર માં કરવેરા સલાહકાર તરીકે કામ કરતા આસામીને ફી માટે આપવામાં આવેલો રૂ.૪ લાખ નો ચેક પરત ફરવા નાં કેસમાં આરોપી.ને એક વર્ષ ની સજા નો હુકમ થયો છે.
જામનગરમાં કરવેરા સલાહકાર તરીકે કામ કરતા હિમાંશુભાઈ પી. અગ્રાવત પાસે ત્રણેક વર્ષથી દેવાભાઈ કરશનભાઈ સોલંકી ઈન્કમટેક્સ લગત કામ માટે આવતા હતા. તેની ફી બાકી હતી, હિસાબ કર્યા પછી દેવાભાઈએ રૂ ૪ લાખનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના કારણે પરત.ફર્યો હતો. આથી દેવાભાઈ કરશનભાઈ સોલંકી સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે. દંડ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજા આપવામાં આવી છે.
ફરિયાદી તરફથી વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી ભૂત, સાહીના દલ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech