વિપક્ષ રાજયસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. લગભગ ૭૦ વિપક્ષી સાંસદોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસ્તાવને સમાજવાદી પાર્ટી અને ટીએમસીનું સમર્થન પણ છે. વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો છે કે અધ્યક્ષ યોર્જ સોરોસ આ કેસમાં સત્તાધારી પક્ષને તક આપી રહ્યા છે.
કોંગ્રેસ આ મામલે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે તૈયાર છે. કોંગ્રેસના સૂત્રોનું માનવું છે કે ગૌતમ અદાણીના મુદ્દાને નબળો પાડવા માટે ભાજપ યોર્જ સોરોસનો મુદ્દો ઉઠાવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે જ વિપક્ષ અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે આજે સંસદના ઉપલા ગૃહમાં શાસક પક્ષે સોરોસના મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. આ દરમિયાન ગૃહમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચા પણ જોવા મળી હતી. બીજેપી ચીફ નડ્ડાએ પણ કોંગ્રેસ સામે મોરચો ખોલ્યો હતો.
રાયસભામાં વિપક્ષના સાંસદોએ અધ્યક્ષ પર શાસક પક્ષ પ્રત્યે પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો છે. તેઓ કહે છે કે અધ્યક્ષ વારંવાર તેમના ભાષણમાં વિક્ષેપ પાડે છે, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પૂરતી ચર્ચાની મંજૂરી આપતા નથી અને વિવાદાસ્પદ ચર્ચાઓ દરમિયાન શાસક પક્ષની તરફેણ કરે છે. આ વર્ષની શઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે વિપક્ષ રાયસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વિચારી રહ્યું છે. સંસદના બજેટ સત્ર દરમિયાન, વિપક્ષી સાંસદોએ રાયસભામાં તેમના વિચારો વ્યકત કરવા માટે ઓછા સમય અને જગ્યા પર ચિંતા વ્યકત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે સંસદીય પરંપરા મુજબ વિપક્ષના નેતાને બોલવાની તક આપવી જોઈએ. એક મોટો વિવાદ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્રારા ભાષણોમાં વારંવાર વિક્ષેપ હતો, જેમાં તેમના માઈક્રોફોનને કથિત રીતે અનેક પ્રસંગોએ બધં કરવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech