ખંભાળિયામાં રવિવારે નેત્રયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

  • June 06, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં જામનગર હાઈવે પર આવેલી એલ.પી. બદિયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 9 ના રોજ વિના મૂલ્યે નેત્રયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રવિવારે સવારે 9 થી 11:30 વાગ્યા સુધી આંખને લગતા વિવિધ રોગ અંગેની વિના મૂલ્યે તપાસ તથા દવા વિતરણ અને શસ્ત્રક્રિયા કેમ્પમાં વિરનગરના જાણીતા શિવાનંદ મિશન હોસ્પિટલના નિષ્ણાંત તબીબો તથા ટેક્નીશીયનો જરૂરી સેવાઓ આપશે. અહીં જે દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હોય, તેઓને બસ મારફતે વિરનગર લઈ જઈ, અને આધુનિક પદ્ધતિથી વિના મૂલ્યે ઓપરેશન કરી, નેત્રમણી મૂકી આપવામાં આવશે.


આ સાથે નિદાન કેમ્પમાં અહીંના જાણીતા નિષ્ણાત ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા ઉપસ્થિત રહી, દર્દીઓની તપાસ કરી, દવાઓ આપશે. આ કેમ્પનો મહત્તમ લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોના લોકોને માનવ સેવા સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application