ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલ ખાતે રવિવારે નેત્રયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ

  • April 25, 2024 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં જામનગર માર્ગ ઉપર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 28 મી ના રોજ સવારે 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ કિસુમુ (કેન્યા) નિવાસી શાંતાબેન વિઠ્ઠલદાસ નારણદાસ બદીયાણી (હ. જયંતભાઈ વિઠ્ઠલદાસ બદીયાણી) ના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ નેત્રયજ્ઞમાં રાજકોટની જાણીતી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલના ડોક્ટરો તથા ટેકનિશીયનો તેઓની સેવાઓ આપશે. જરૂરિયાત મુજબ દર્દીઓને વિના મૂલ્યે હોસ્પિટલ ખાતે આંખનું ઓપરેશન કરી, નેત્રમણી પણ મૂકી આપવામાં આવશે.


આ સાથે સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં જાણીતા તબીબ ડોક્ટર નિલેશભાઈ રાયઠઠ્ઠા તેમની સેવાઓ આપશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના દર્દીઓને સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application