ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલ ખાતે રવિવારે નેત્રયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ

  • September 27, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં જામનગર માર્ગ પર આવેલી એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 29 મીના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટની જાણીતી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલના નિષ્ણાંત તબીબો તેમજ ટેક્નીશીયનો તેઓની સેવા આપશે. આ સાથે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓને તપાસી, સારવાર કરશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના લોકોને માનવ સેવા સમિતિની એક યાદીમાં જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application