ખંભાળિયામાં જામનગર રોડ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 12 મીના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્રરોગ નિદાન-સારવાર, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ શાંતાબેન ગુલાબરાય બદીયાણી ફાઉન્ડેશન, ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અક્ષય સુભાષ મોરજરીયા ફાઉન્ડેશન - મુંબઈ (હ. અજયભાઈ ગાંધી તથા પ્રદીપભાઈ ગાંધી)ના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં વીરનગરની જાણીતી શિવાનંદ મિશન હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દર્દીઓને તપાસી, સારવાર અપાશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને બસ મારફતે વીરનગર લઈ જઈને આધુનિક પદ્ધતિથી ઓપરેશન કરી આપવામાં આવશે.
સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાત ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓને તપાસી, વિનામૂલ્યે દવા આપવામાં આવશે. આ કેમ્પનો મહત્તમ લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના દર્દીઓને માનવસેવા સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણીએ અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો વચ્ચે અથડામણ, ત્રણ આતંકવાદી ઠાર
May 13, 2025 03:07 PMપોરબંદરમાં આપત્તિ વ્યવસ્થાપન માટે યોજાયેલી બેઠકમાં કાયમી ધોરણે મદદપ બનવા બની ટીમ
May 13, 2025 03:05 PMનિવૃત્તિ બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે પહોંચ્યા વૃંદાવન
May 13, 2025 03:04 PMમોઢવાડા ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્યએ આપી ખાસ હાજરી
May 13, 2025 02:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech