ગેંગ્સ ઓફ વાસેપુરથી જાણીતા બનેલા નવાઝુદ્દીન સિદ્દીકી 500 રૂપિયામાં વેટર બનવા રાજી હતા, આજે એક ફિલ્મના લે છે 10 કરોડ
સંઘર્ષ વિના કશું મળતું નથી અને જો મળે તો ટકતું નથી.નવાઝુદ્દીન સિદ્દીકીએ એનાં કરિયરની શરૂઆતમાં અનેક ઘણો સંઘર્ષ કર્યો છે. આજે બોલિવૂડનાં ટોપ એક્ટરમાંથી એક છે. આજે નવાઝુદ્દીન સિદ્દીકી લાખો લોકોનાં દિલમાં રાજ કરે છે.
બોલિવૂડનાં જાણીતાં એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીને આ લેવલ પર પહોંચવા માટે અનેક ઘણી મહેનત કરવી પડી છે. નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડમાં કંઇક કરી બતાવવાનાં સપનાને લઇને મુંબઇ પહોંચ્યો હતા. એક સમયે ઇન્ડસ્ટ્રી છોડીને જતો હતો ત્યારે અનુરાગ બાસુએ એમને રોક્યા અને એમની ફિલ્મમાં નાનો રોલ આપ્યો હતો. આજે ઇન્ડસ્ટ્રીમાં નવાઝુદ્દીન સિદ્દીકીની ઓળખાણ આપવાની કોઇ જરૂર રહેતી નથી. નવાઝુદ્દીન સિદ્દીકી આજે એ ટોપ લેવલ પર છે જેની પાછળ એમને અનેક ઘણી મહેનતનો ફાળો રહેલો છે.
વર્ષ 2012માં આવેલી ગેંગ્સ ઓફ વાસેપુરમાં નવાઝુદ્દીન સિદ્દીકીને એક મોટી ઓળખ મળી હતી. આ પહેલાં પણ અનેક નાના-નાના રોલ નિભાવી ચુક્યા હતા. પરંતુ આ ફિલ્મથી નવાઝુદ્દીન રાતોરાત સ્ટાર બની ગયા હતા. અનુરાગ કશ્યપે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો કે એ ટ્રેનમાં પહેલીવાર નવાઝને મળ્યા હતા. નાનો રોલ કરવા માટે એક્ટર તરત તૈયાર થઇ ગયા હતા. જો કે એકવાર તો અનુરાગે એમને ફટકાર પણ લગાવી હતી કે ઓવરએક્ટિંગ કેમ કરી રહ્યાં છો?
અનુરાગ કશ્યપ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો કે, પહેલીવાર નવાઝુદ્દીન સિદ્દીકી ટ્રેનમાં મળ્યા હતા. આમ, અનુરાગે એક્ટરને એક રોલ ઓફર કર્યો હતો. આ સાથે જણાવ્યું હતુ કે આ રોલ એમનાં લાયક નથી, પરંતુ નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતુ કે પાંચસો રૂપિયા મળશે તો કોઇ પણ રોલ કરીશ. ત્યારબાદ ફિલ્મ શૂલમાં વેટરનો રોલ નિભાવવાનો મોકો મળ્યો હતો.રિપોર્ટ અનુસાર વર્ષ 2024માં એક્ટરની કુલ સંપત્તિ 124 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે અને દરેક ફિલ્મ માટે લગભગ 10 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAyushman Bharat Yojana: આયુષ્માન ભારતનું નવું કાર્ડ બનશે, રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે
September 11, 2024 10:52 PMપાટણની સરસ્વતી નદીમાં સાત ડૂબ્યા, 3ને બચાવાયા, 1નું મોત
September 11, 2024 10:39 PMજામનગર નજીક અલીયાબાડા પાસે ટ્રેન આપદામાં પહોંચી વળવા માટે તંત્ર દ્વારા મોકડ્રીલ યોજાઈ....
September 11, 2024 06:18 PMજામનગરના ઇટ્રા અને હાર્ટફૂલનેસ દ્વારા એક સદી જૂના વડલાને જીવતદાનનો નૂતન પ્રયાસ
September 11, 2024 06:11 PMહાડકાંને મજબૂત બનાવવા ખાઓ આ લાડુ,જાણો રેસીપી
September 11, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech