સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચ ાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત - સોમવાર નિમિત્તે તા.૦૨-૦૯-૨૦૨૪ ને સોમવારના રોજ કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો એવં સવારે ૦૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી -અથાણાવાળા દ્વારા કરવામાં આવ્યો હતો. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે દાદાને પંચમુખીની થીમવાળા વાઘા અને સિંહાસને શણગાર કરાયો છે. ભક્તોએ ચાર દિવસની મહેનતે આ શણાગર બનાવ્યો છે. વાઘા ચાર દિવસની મહેનતે રાજકોટમાં બન્યા છે. ૬ સંતો, પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતાં. શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ હરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application“વિકાસ ભી, વિરાસત ભી” : જામનગરનો ભવ્ય ભુજીયો કોઠો લઇ રહ્યો છે નવા રંગરૂપ
April 18, 2025 10:32 AMકલ્યાણપુરના ગુરગઢ ગામે લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ
April 18, 2025 10:30 AMજામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઇન્ટર હાઉસ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2025-26નું આયોજન...
April 18, 2025 10:24 AMઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMSIP કે સુકન્યા સમૃદ્ધિ યોજના, બાળકના સારા ભવિષ્ય માટે ક્યાં કરશો રોકાણ; જુઓ પૂરી ગણતરી
April 17, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech