ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ભરતીના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલી ભરતી પ્રક્રિયાના ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.જે કાર્યક્રમમાં મેયર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દેશના વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી બાજપાઈની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે ઉજવણી અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે વિશેષ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. મનપા દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં સુશાસન દિવસ અંતર્ગત મહાનગરપાલિકાની જુદી જુદી ભરતી પ્રક્રિયામાં પસંદગી થયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયાત કરવામાં આવ્યા હતા. શહેરના સરદાર નગર ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 90થી વધુ લોકોના મોત
July 02, 2024 07:17 PMજામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે કર્યો દેખાવ, રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા
July 02, 2024 07:07 PMજામનગરમાં રાહુલ ગાંધીનો વિરોધ કરી રહેલા હિન્દુ સેનાના કાર્યકરોની અટકાયત
July 02, 2024 07:02 PMરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech