પાલીતાણાના હડમતીયા ગામે રહેતી પરણિતાને સાતમ-આઠમના તહેવાર પર પિયર જવુ હોય પતિને વાત કરી હતી. પરંતુ પતિએ પિયર જવાન ની ના કહી હતી. જેને લઈ માઠું લાગી જતા જાતેથી ગળાફાસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. ઘટનાની જાણ થતા પાલીતાણા ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ પાલીતાણાના હડમતીયા ગામે રહેતી મીનાબેન અશોકભાઈ મહિડા(ઉ. વ. ૩૫)એ સાતમ-આઠમના તહેવાર પર પોતાના પિયર જવાની ઈચ્છા હોય પતિ અશોકભાઈને વાત કરી હતી. પરંતુ અશોકભાઈએ પત્ની મીનાબેનને હમણાં પિયર જવાનું નથી તેમ જણાવ્યું હતું. પતિ અશોકભાઈએ પિયર જવાની ના કહેતા બેચેન બનેલી મીનાબેનને તહેવારો પર પિયર જવાની પતિએ કહેલી નાથી માઠું લાગી જતા જાતેથી ગળાફાસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. ઘટનાની જાણ થતા પાલીતાણા ટાઉન પોલીસે દોડી જઈ પરણિતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવની બધુ તપાસ હાથ ધરી હતી. પતિએ પિયર જવાની ના કહ્યા જેવી સામાન્ય બાબતને લઈ માઠું લાગી જતા પરણિતાએ ભરેલા અંતિમ પગલાંથી અરેરાટી સાથે શોક છવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech