લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપલક્ષમાં શ્રાવણમાસ ભવ્ય મહોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસ પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી દાદાને દિવ્ય ફ્રુટના વાધા અને સિંહાસને ૧ હજાર કિલો ફળોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગર સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લ્હાવો લીધો હતો.
મહત્વનું છે કે, આજે બપોરે ૧૧ કલાકે દાદાને કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને સફરજન, કેળા, તરબૂચ, અનાનસ, મોસંબી, નારંગી, દ્રાક્ષ, જામફળ સહિત કુલ ૧૦૦૦ કિલો ફળોનો અન્નકૂટ પણ ધરાવાયો છે.આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે હનુમાનજીને શ્રાવણ માસના પહેલાં શનિવારે નિમિત્તે દિવ્ય વાઘા અને સિંહાસને ફાળોથી શણગાર કરાયો છે. જેમાં કુલ ૩૪ પ્રકારના ફળ છે. આ તમામ ફળ અમદાવાથી મંગાવ્યા છે. દાદાના સિંહાસને ફળનો શણગાર કરતાં ૬ સંતો, પાર્ષદ અને ભક્તોને ૪ કલાકનો સમય લાગ્યો હતો. તમામ ફ્રુટ ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે.
શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે ૭થી ૧૦વાગ્યે યજ્ઞશાળામાં હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન હરિ મંદિર દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech