NEET પેપર લીક કેસમાં બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને વિપક્ષના વર્તમાન નેતા તેજસ્વી યાદવે અંગત સચિવની ભૂમિકા સામે આવ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો આ તેમની ભૂલ છે અને સરકાર તેની ધરપકડ કરે તો મને કોઈ વાંધો નથી.
તેજસ્વી યાદવે NEET પરીક્ષા પેપર લીક કેસમાં તેમના પીએસની ભૂમિકા પર કહ્યું, 'PA,PS,CMએ બધાને બોલાવીને પૂછપરછ કરવી જોઈએ, EOUએ અમારા PA પર કંઈ કહ્યું નથી, ફક્ત વિજય સિંહા જ આ કહી રહ્યા છે પરંતુ હું CMને કહું છું કે તેણે મારા પીએને બોલાવીને પૂછપરછ કરવી જોઈએ.
તેજસ્વી યાદવે કહ્યું, 'તેઓ કિંગપિનને બચાવવા માગે છે, તેથી તેઓ કેસને ડાયવર્ટ કરી રહ્યાં છે, સમ્રાટ ચૌધરી સાથે આરોપીની તસવીર સામે આવી છે. તેના પર તમે શું કહેશો? મારા આસિસ્ટન્ટને બોલાવો અને જો તેણે ભૂલ કરી હોય તો ધરપકડ કરો. અમને કોઈ સમસ્યા નથી પરંતુ મારું નામ વચ્ચે લેવાથી કોઈ ફાયદો થશે નહીં. તેજસ્વી યાદવે કહ્યું કે અમિત આનંદ પેપર લીકનો માસ્ટરમાઈન્ડ છે. તેની સામે કાર્યવાહી થવી જોઈએ.
NEET પેપર લીકને લઈને સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે અને એક દિવસ પહેલા બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ આરોપ લગાવ્યો હતો કે તેજસ્વી યાદવના અંગત સચિવ પ્રીતમ કુમારે પેપર લીક કરનારા આરોપીઓ માટે રૂમ બુક કરાવ્યા હતા .
વિજય સિંહાએ કર્યા હતા ગંભીર આક્ષેપો
વિજય સિન્હાએ કહ્યું હતું કે તેજસ્વી યાદવના પીએસ પ્રીતમ કુમારે ગેસ્ટ હાઉસના કર્મચારી પ્રદીપ મારફતે માસ્ટરમાઇન્ડ સિકંદર માટે રૂમ બુક કરાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે જે લોકો ગેસ્ટ હાઉસમાં પકડાયા છે. તેઓ પ્રીતમ સાથે જોડાયેલા છે અને પ્રીતમ પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવનો પીએસ છે.
કોણ છે તેજસ્વીના પીએસ પ્રીતમ કુમાર?
પ્રીતમ કુમાર (ઉંમર- 52 વર્ષ) બિહાર વહીવટી સેવાના અધિકારી છે. ઓગસ્ટ 2022 માં, તેમને નવી પોસ્ટિંગ મળી અને તેજસ્વી યાદવના ખાનગી સચિવ (સરકારી) બનાવવામાં આવ્યા. પ્રીતમના પિતાનું નામ સુભાષ ચંદ્ર નિરાલા છે. તે બિહારના મુંગેરનો રહેવાસી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMચારધામ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માતગે માઠા સમાચાર, ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા મોકૂફ
July 06, 2024 11:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech