કોકીલ કંઠી સિંગરો અને મુંબઇના સાજીંદાઓ તથા જામનગરના ખેલૈયાઓ વચ્ચે જોવા મળશે યાદગાર નવરાત્રી મહોત્સવ: એમ.પી.શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ પર આયોજન
નવલી નવરાત્રીને ભવ્ય વેલકમ આપવા માટે પ્રતિવર્ષની જેમ જામનગરના નંબર વન સાંઘ્ય દૈનિક આજકાલ દ્વારા બીજી ઓકટોબરના રોજ નવરાત્રી વેલકમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, પ્રતિવર્ષ મુંબઇના વિખ્યાત સિંગરો, સાજીંદાઓ અને જામનગરના ખેલૈયાઓ વચ્ચે જે રમઝટ બોલે છે તેનું પુનરાવર્તન થવાનું છે અને લોકોને એક યાદગાર નવરાત્રી વેલકમ માણવા મળશે.
સહીયર ગ્રુપ દ્વારા એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે આયોજન થાય છે એ જ સ્થળે આજકાલ દ્વારા નવરાત્રી વેલકમનું આયોજન કરવામાં આવ્યું છે, આ વખતે મુંબઇના ઓરકેસ્ટ્રા ઉપરાંત મેલ અને ફીમેલ સિંગરો પોતાના કોકીલ કંઠી અવાજથી ખેલૈયાઓેને રાસની રમઝટ બોલાવવા પ્રોત્સાહીત કરશે, આ વર્ષે ઓરકેસ્ટ્રા ગ્રુપ દ્વારા કેટલાક નવા આકર્ષણો પણ લાવવામાં આવશે, જેને માણવા ખેલૈયાઓ અને દર્શકો માટે યાદગાર બની રહેશે.
રેડ કાર્પેટ પર સુંદર બેઠક વ્યવસ્થા, ઝળહળતું લાઇટનું ડેકોરેશન અને દરેક ક્ષેત્રના જામનગરના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં નવરાત્રી વેલકમનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રિન્સ, પ્રિન્સેસને તો ઇનામની નવાઝવામાં આવશે પરંતુ આ વખતે તમામ ખેલૈયાઓ માટે એક વિશેષ સરપ્રાઇઝનું પણ આજકાલ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMજામનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થયા તો મુખ્યમંત્રીને કરવામાં આવશે રજૂઆત
April 09, 2025 06:24 PMગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતવાર
April 09, 2025 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech